વરસાદ બાદ રોગચાળાએ જાણે ભરડો લીધો છે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રોજ હજારોની સંખ્યામાં રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પહોંચી રહ્યા છે.
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
રાજકોટમાં દિવાળી પહેલા રોગચાળા ફાટી નિકળ્યો
રાજકોટમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે
અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે જેના કારણે મનપા સહીત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. શહેરમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળાના આંકડાની વાત કરીએ તો મલેરીયાના 174 કેસ, ઝેરી મલેરીયાના 11 કેસ, ડેન્ગીના 359 કેસ, ચિકનગુનિયાના 1 કેસ, ઝાડા-ઉલટીના 141 કેસ, કમળાના 131 કેસ, ટાઈફોઈડના 231 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુના કારણે શહેરમાં SVP અને એલજી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ રોગચાળાને ડામવા ગત કુલ 590 જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કુલ રૂ.18 હજાર વહીવટી ચાર્જ વસૂલી 33 સાઈટોને સીલ કરી હતી.
રાજકોટમાં દિવાળી પહેલા રોગચાળા ફાટી નિકળ્યો
રાજકોટમાં દિવાળી પહેલા રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા હતા. છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 196 કેસ સામે આવ્યો છે. રોગચાળાને લઇ મ્યુનિસિપલ આરોગ્ય ચેરમેન મેદાનમાં ઉતર્યા છે. અને વોર્ડ નં-2નું ફોગિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં દરેક વોર્ડમાં ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે
રાજકોટમાં વધતા રોગચાળાને લઇ કોંગ્રેસ મનપા કચેરી ખાતે વિરોધ કરશે. વિરોધ પ્રદર્શનને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.