નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ મંગળવારે ગૂપચૂપ અસર મલિક સાથે લગ્ન કરી લીધા છે. મલાલાને 2014માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.
મલાલા યુસુફજઇએ કરી લીધા લગ્ન
અસર મલિક સાથે જીવનની કરશે શરૂઆત
અસરનો પાકિસ્તાન ક્રિકેટ સાથે ગાઢ સંબંધ
કોણ છે મલાલા
મલાલા યુસુફજઇને દુનિયાના લોકો એક એક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. તેને 2014માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.
મલાલાનો પતિ કોણ છે?
અસર મલિક કે જેની સાથે મલાલાએ લગ્ન કર્યા તેના લિંક્ડઇન પેજ અનુસાર તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હાઇ પફોર્મન્સ જનરલ મેનેજર છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીર પણ શૅર કરી છે.
અસરનું બેકગ્રાઉન્ડ
અસરે લાહોર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે અને તેણે અર્થશાસ્ત્ર તેમજ પોલીટીકલ સાઇન્સમાં ડિગ્રી લીધી છે. તે થિયેટર પ્રોડક્શન્સ કરનારા ડ્રામાલાઇનનો પણ અધ્યક્ષ રહી ચૂક્યો છે.
નિકાહ નહી કરું : મલાલા
બ્રિટનમાં રહી રહેલી મલાલાએ જુલાઇમાં નિવેદન આપ્યું હતુ કે હું નિકાહ કરીશ કે નહી ખબર નથી. તેના 3 જ મહિનામાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે આજે મારા જીવનનો અનમોલ દિવસ છે. અસર અને મારો આજે નિકાહ થયો. તેણે નિવેદન આપ્યું હતું કે મને આજ સુધી ખબર નથી પડી કે મહિલાઓએ લગ્ન કેમ કરવા પડે છે. જો તમે એક વ્યક્તિ પોતાના જીવનમાં ઇચ્છો છો તો લગ્ન કરવા જરૂરી છે? આ માત્ર એક કમ્પેનિયનશીપ કેમ ન હોઇ શકે.