બોલિવુડમાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે તો કેટલાક સ્ટાર્સના અફેર પણ ચર્ચામાં છે. આવું જ એ કપલ છે અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા જેના અફેરથી લઇને લગ્ન ચર્ચા જોરશોરથી થઇ રહી છે. મલાઈકાની બર્થ ડે પાર્ટીથી લઈને દિવાળી પાર્ટી સુધી અર્જૂન અને મલાઇકા સાથે જ જોવા મળ્યા.
મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના રિલેશનશીપ પર ઘણા ખુલાસા કર્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે અર્જૂન અને મલાઇકા બંને પોતાના વિશે આવતી ખબરો વિશે નથી વિચારતા. તાજેતરમાં કરણ જોહરના શો ‘કૉફી વિથ કરન-6’માં મલાઈકાને ગેસ્ટ તરીકે બોલાવી હતી આ સમયે કરને મલાઈકાના લગ્ન અંગે સંકેત આપ્યો હતો જેના વિશે સાંભળી મલાઈકા શરમાતી જોવા મળી હતી.
મલાઈકાએ લગ્ન અંગે વધી રહેલી ચર્ચાઓ પર કહ્યું કે "મે ક્યારેય પર્સનલ સવાલો પર જવાબ આપ્યો નથી. એટલે નહીં કે મને શરમ આવે છે અથવા હું જવાબ આપી શકતી નથી. વાસ્તવમાં મને નથી લાગતું કે હું આવા સવાલોનો જવાબ આપુ કારણ કે મને પર્સનલ લાઈફ પર વાત કરવી અસહજ લાગે છે અને આ મારી લાઈફ છે અને જેઓ મારી લાઈફ વિશે જાણે છે તેમને મારે જણાવવાની જરૂર નથી. હું બસ મારી લાઈફને માણી રહી છું અને આ ઘણી સુંદર અને પ્રેમાળ છે."
એક એન્ટરટેનમેન્ટ પોર્ટલે બંને એપ્રિલ 2019માં લગ્ન કરવાના અહેવાલ પબ્લિશ કર્યા હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા અને અર્જુનના લગ્નની તારીખ માટે વાતચીત પણ શરૂ થઈ ચૂકી છે.