અભિનેત્રી મલાઈકા અરોડાએ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં પહેલી પોસ્ટ શેર કરી છે. તેણે તેની સાથે થયેલ આ દર્દનાક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેનાથી તે બચી છે.
મલાઈકા અરોડાએ અકસ્માત બાદ સો. મીડિયામાં પહેલી પોસ્ટ કરી
મલાઈકાએ અકસ્માતમાં મદદરૂપ થનારા લોકોનો માન્યો આભાર
મારા સ્નેહીજનો અને મારા સ્ટાફે મારી ખૂબ સારસંભાળ લીધી
અકસ્માત થયા બાદ મલાઈકાએ જણાવી તેની વેદના
આ સાથે મલાઈકાએ એવા લોકોનો પણ આભાર માન્યો છે. જેણે મુશ્કેલીના સમયમાં મલાઈકાની મદદ કરી છે. મલાઈકાની લેટેસ્ટ પોસ્ટ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે બારીમાંથી બહાર જોઇ રહી છે. મલાઈકાએ કેપ્શનમાં લખ્યુ, થોડા દિવસ પહેલા અને મારી સાથે થયેલી ઘટનાઓ અવિશ્વસનીય રહી છે. જ્યારે હું તે અંગે વિચારુ છુ તો આ બિલ્કુલ ફિલ્મના એક સીનની જેમ લાગે છે, જે ક્યારેય ના થયુ હોય. સદનસીબી છે કે અકસ્માત થયા બાદ મારા સ્નેહીજનો, મારા સ્ટાફે મારી ખૂબ સારસંભાળ લીધી. જેણે હોસ્પિટલ સુધી પહોંચવામાં મારી મદદ કરી એવા લોકોને ખૂબ શુભેચ્છા. મારો પરિવાર દરેક સમયે મારી સાથે ઉભો રહ્યો છે.
મલાઈકાએ વધુમાં લખ્યું, મારા તબીબોએ મારી સુરક્ષા નક્કી કરી અને દરેક પગલા પર મારું ધ્યાન રાખ્યું. તેમણે મને સુરક્ષિત અનુભવ કરાવ્યો છે. જે પ્રેમ મને મારા મિત્રો, પરિવાર, મારી ટીમ અને મારી ઈન્સ્ટા ફેમિલી તરફથી મળ્યો છે, તે સુંદર રહ્યો છે. આ યાદ કોઈ અહેસાસ નથી. પરંતુ તે યાદ અપાવે છે કે અમે એવા અજાણ્યા લોકોનો પણ આભાર માનવો જોઈએ કે જે જરૂરીયાતના સમયે તમારી પર ખૂબ પ્રેમ વરસાવે છે. હું રિકવર કરી રહી છુ અને વિશ્વાસ અપાવુ છુ કે હું એક ફાઈટર છુ અને હું તે મલાઈકા બનીને પાછી ફરીશ. જેને તમે જાણો છો.