મલાઇકા અરોરાનું નામ છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે.
મલાઇકા આજના સમયે સિંગલ પેરેન્ટ્સ છે. બોલીવુડ એક્ટર અરબાઝથી વર્ષ 2017માં મલાઇકાએ ડિવોર્સ લીધા હતા પરંતુ આજે પણ બંનેનો ઉલ્લેખ થાય છે. પોતાના ડિવોર્સને લઇને મલાઇકાએ 2 વર્ષ બાદ મૌન તોડ્યું છે.
થોડાક દિવસો અગાઉ મલાઇકા પોતાની બેસ્ટફ્રેન્ડ કરીના કપૂરના રેડિયો શો માં પહોંચી હતી. જ્યાં તેને પોતાની પર્સનલ લાઇફને લઇને ઘણી વાતો કરી. અરબાઝ અને પોતાના ડિવોર્સને લઇને ખૂબ વાત કરી. મલાઇકાએ કરીના કપૂર ખાનના રેડિયો શો માં જણાવ્યું કે 'અમે બંને એવી પરિસ્થિતિમાં હતા કે અમારા કારણએ દરેક લોકો પરેશાન હતા. ડિવોર્સ લેવાની એક રાત પહેલા હું મારા પરિવારની સાથે બેઠી અને મે વાત કરી...મે મારી જાતને પૂછ્યું કે શું હું 100 ટકા ડિવોર્સ લેવા ઇચ્છું છું? દરેક લોકોએ કહ્યું જો તારો આ નિર્ણય છે તો અમને તારી પર ગર્વ છે. એમને મને સ્ટ્રોંગ વુમન કહી જેનાથી મને મજબૂતી મળી જેની મને એ સમયે જરૂરીયાત હતી. મલાઇકાએ જણાવ્યું કે આ નિર્ણય લેવો સરળ નહતો. આ કોઇ સામાન્ય નિર્ણય ન હતો. મે અને અરબાઝે આ નિર્ણય લેતા પહેલા ખૂબ વાતો કરી અને પછી અલગ થયા.'
જણાવી દઇએ કે મલાઇકાએ 25 વર્ષની ઉંમરમાં અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કર્યો. લોકો એમેન હેપ્પી ફેમિલી માનતા હતા. પરંતુ 2016માં હેરાન કરી દે એવા સમાચાર આવ્યા કે મલાઇકા અને અરબાઝે અલગ થવાનો નિર્ણય કર્યો છે. લગ્નના 19 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા.
ત્યારબાદ મલાઇકા પોતાની લાઇફમાં આગળ વધી ગઇ એ આજે અર્જુન કપૂરની સાથે રિલેશનશીપમાં છે. જો કે બંને એ પોતાના રિલેશનશીપની પુષ્ટિ કરી નથી.