મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો રોમાંસ ઘણા વખતથી ચર્ચામાં છે. થોડા સમય સુધી આ બંનેએ આ મુદ્દે મૌન રહેવાનું પસંદ કર્યું. 19 વર્ષ સુધી અરબાઝ ખાન સાથે રહ્યા બાદ લગભગ બે વર્ષ પહેલાં મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થયા.
ડિવોર્સના થોડા સમય બાદ જ મલાઇકાનું નામ અર્જુન સાથે જોડાવા લાગ્યું. હવે બંને પોતાના રોમાંસની વાતને ખુલ્લેઆમ કહી રહ્યાં છે. હવે તો તેમનાં લગ્નની અટકળો પણ ચાલવા લાગી છે. તાજેતરમાં કહેવાયું હતું કે 19 એપ્રિલે આ બંને ગોવાના એક ચર્ચમાં ખ્રિસ્તી રીતરિવાજથી લગ્ન કરશે, પરંતુ 19 એપ્રિલે ગુડ ફ્રાઇડે હોવાથી તેમનાં લગ્ન પોસ્ટપોન રહ્યાં છે. તેમનાં લગ્ન ટૂંક સમયમાં થશે તે ફાઇનલ છે.
મલાઇકાએ અર્જુન સાથેના સંબંધો પર મૌન તોડતાં ખૂલીને વાત કરી છે. તેણે કહ્યું કે, ''મને લાગે છે કે દરેક વ્યક્તિ જિંદગીમાં આગળ વધીને પ્રેમ અને એક સાથી મેળવવા ઇચ્છે છે. કોઇ એવી વ્યક્તિ, જેની સાથે તમે ખુશ રહી શકો, જે તમને સમજી શકે, જો તેવું કોઇ પાત્ર તમને મળી જાય તો તમે લકી કહેવાઓ. જો તમે એમ કરી શકો છો તો તમે કિસ્મતવાળાં છો. જો તમને જીવનમાં ખુશ રહેવાનો બીજો મોકો મળે તો તે અપનાવી લેવો જોઇએ.''
ઉલ્લેખનીય છે કે, જોકે અર્જુન કપૂરનો પરિવાર મલાઇકા સાથે તેનાં લગ્નથી સહેજ પણ ખુશ નથી. તેના પિતા બોની કપૂર અને બહેન પણ આ સંબંધની વિરુદ્ધમાં છે, કેમ કે અર્જુનની ઉંમર મલાઇકા કરતાં 12 વર્ષ નાની છે. અર્જુનના પિતા બોની તો મલાઇકા સાથે લગ્નની અટકળો પર ખૂબ જ નારાજ છે. અર્જુને ખુદ લગ્ન વિશે કંઇ જણાવ્યું નથી.