ટ્રેનમાં આગ લાગવાની ઘટના સમાચારમાં આવતી રહે છે. હાલમાં જ નવી દિલ્હી અને દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં લાગી ગઇ હતી. બાદમાં એક નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે.
રેલવેએ નિયમ કર્યા કડક
કેટલીક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
ભૂલ કરવા પર 3 વર્ષની જેલ થઇ શકે
રેલવેએ ટ્વિટ કરીને કહી આ વાત
રેલવેએ ટ્વિટ કરીને કહ્યું કે યાત્રીઓએ જ્વલનશીલ સામગ્રી લઇને ન આવવું આ એક દંડનીય અપરાધ છે. એવું કરવામાં જો આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે જેલ પણ થઇ શકે છે. પશ્ચિમ મધ્ય રેલવેના કહ્યાં અનુસાર, ટ્રેનમાં આગ ફેલાવવા કે જ્વલનશીલ વસ્તુઓ લઇ જવી રેલ અધિનિયમ 1989ની ધારા 164 અંતર્ગત દંડનીય અપરાધ છે. જો તમે પકડાઇ જાઓ છો તો 3 વર્ષ સુધીની જેલ અને હજાર રૂપિયા દંડની સજા થઇ શકે છે.
આ વસ્તુઓ પર પ્રતિબંધ
રેલવેના ટ્વિટ અનુસાર ટ્રેનના ડબ્બામાં કેરોસિન, સુકુ ઘાંસ, સ્ટવ, પેટ્રોલ, માટીનું તેમલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા કે આગ ફેલાવે તેવી કોઇ પણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. તમને જણાવી દઇએ કે રેલવેએ યાત્રીઓના સફરને સુરક્ષિત બનાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેથી ટ્રેનમાં બને ત્યાં સુધી આગની કોઇ ઘટના ન બને.
રેલવે પરિસરમાં સ્મોકિંગ અપરાધ
માત્ર એટલુ જ નહી પરંતુ આગની ઘટનાઓને કંટ્રોલ કરવા માટે રેલવે દ્વારા બનાવવામાં આવેલ નિયમમાં જો ટ્રેનમાં કોઇ સ્મોક કરતા પકડાઇ જાય છે તો તેને જેલ થઇ શકે છે. તે સિવાય દંડ પણ થઇ શકે છે. આવુ કરવા પર યાત્રીઓને 200 રૂપિયાનો દંડ થઇ શકે છે.