બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Making Every Effort To Comply: Twitter To Government On New Digital Rules

વિવાદનું નિવારણ / કેન્દ્રની ચેતવણીની ધારી અસર પડી, નવા ડિઝિટલ નિયમો અંગે ટ્વિટરે લીધો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 08:56 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરે કેન્દ્ર સરકારને જણાવી દીધું છે કે ગયા મહિને અમલી બનેલા નવા ડિઝિટલ નિયમોનું પાલન કરવા તે તેનાથી બનતા પ્રયાસો કરી રહી છે.

  • ટ્વિટરે સરકારને જાણ કરી
  • નવા ડિઝિટલ નિયમોનું પાલન કરવા તૈયાર
  • દેશના લોકોની સેવા કરવા પ્રતિબદ્ધ-ટ્વિટર

ટ્વિટરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમે આગ્રહપૂર્વક કહેવા માંગીએ છીએ કે ટ્વિટર નવા નિયમોનું પાલન કરવાના દરેક પ્રયાસ કરી રહ્યું છે. ટ્વિટર  ગંભીર સમયે અને સંકટના સમયે દેશના લોકોની સેવા કરવા પ્રતિબદ્ધ છીએ. 

કોરોના મહામારીની વેશ્વિક અસરને કારણે અમારે માટે આ ગાઈડલાઈનનું પાલન કરવું અઘરુ બન્યું-ટ્વિટર 

ટ્વિટરે કહ્યું કે 25 ફેબ્રુઆરીએ ગાઈડલાઈન્સ બહાર પડાઈ અને કોરોના મહામારીની વેશ્વિક અસરને કારણે અમારે માટે આ ગાઈડલાઈનનું પાલન કરવું અઘરુ બન્યું હતું. નવા ડિઝિટલ નિયમોમાં ટ્વિટ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે એક રેસિડન્ટ ફરિયાદ અધિકારીની નિમણૂંક પણ સામેલ છે.

નોડલ કોન્ટેક્ટ પર્શન અને રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારીની નિયુક્તી કરી

ટ્વિટરે જણાવ્યું કે અમે નોડલ કોન્ટેક્ટ પર્શન અને રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારીની નિયુક્તી કરી છે અને મુખ્ય ફરિયાદ અધિકારીની નિયુક્તીની દિશામાં પણ અંતિમ તબક્કામાં છે. ટ્વિટરે કહ્યું કે અમે આગામી થોડા દિવસમાં સરકારને વધારે વિગતો પુરી પાડીશું. 

નિયમોનું પાલન ન કરવાની જીદ પ્રતિબદ્ધતાનો અભાવ છતો કરે છે 

કેન્દ્રીય આઈટી મંત્રાલયે ટ્વિટરને ચેતવણી આપતા જણાવ્યું કે નવા નિયમોનું પાલન ન કરવાની ટ્વિટરની જીદથી સાબિત થાય છે કે કંપનીમાં પ્રતિબદ્ધતાનો અભાવ છે અને તે ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પરથી સુરક્ષિત અનુભવ પુરો પાડવાનો પ્રયાસ કરવા માંગતી નથી. મંત્રાલયે ટ્વિટરને પાઠવેલી નોટીસમાં જણાવ્યું કે એ જાણીને અત્યંત ખેદ થયો કે આઈટી મિનિસ્ટ્રીના પત્રમાં તમારા જવાબમાં સરકારના સવાલ પર કોઈ જવાબ અપાયો નથી કે નિયમોનું પાલન કરવાનો તમારો ઈરાદો પણ લાગતો નથી.મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં લગભગ એક દાયકાના કામકાજ છતાં પણ એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ટ્વિટરે એક એવું તંત્ર બનાવવાનો ઈન્કાર કરી દીધો છે જેનાથી ભારતના લોકોને તેના  પ્લેટફોર્મ પર સમયસર અને પારદર્શી ધોરણે તેના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં મદદ મળે. 

ટ્વિટર નિયમોનું પાલન ન કરે તો સરકાર શું કાર્યવાહી કરી શકે

સરકારે જણાવ્યું કે ટ્વિટર ઈન્ડીયાના નવા નિયમોનું તરત પાલન કરવા માટે છેલ્લી નોટીસ આપવામાં આવી છે. નોટીસ અનુસાર જો ટ્વિટર નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો તેની સામે આઈટી કાયદા, 2000 ની કલમ 79 હેઠળ મળેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે અને દેશના આઈટીના કાયદા પ્રમાણે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયને ટ્વિટરને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે જો ટ્વિટર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો તે આઈટી કાયદા હેઠળની જવાબદારીની છૂટ ગુમાવી બેસશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Twitter corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા ટ્વિટર સોશિયલ મીડિયા Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ