બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું કે જો મહિલા ઘરકામ કરવા નથી માંગતી તો મહિલાએ લગ્ન પહેલા જણાવવું પડશે કે તે ઘરનું કામ નહીં કરે.
મહિલા ઘરકામ કરવા નથી માંગતી તો લગ્ન પહેલા જણાવવું
પરિણીતને ઘરકામ કરવા માટે કહેવામાં આવે તો નોકરની સાથે સરખામણી ન કરવી
એક અરજી પર સુનાવણી કરતાં સમયે ન્યાયાધીશોની બેન્ચે કહી આ વાત
જો કોઈ પરિણીતને ઘરેલું કામ કરવાનું કહેવામાં આવે તો તેને ઘર નોકરના કામ સાથે જોડવું જોઈએ નહીં. આ મહિલાઓ પ્રત્યેની ક્રૂરતા નથી. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું કે જો મહિલા ઘરકામ કરવા નથી માંગતી તો મહિલાએ લગ્ન પહેલા જણાવવું પડશે કે તે ઘરનું કામ નહીં કરે.
જસ્ટિસ વિભા કંકણવાડી અને રાજેશ પાટીલની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે "જો કોઈ પરિણીતને ઘરેલું કામ કરવા માટે કહેવામાં આવે છે તો તે પરિવાર માટે કહેવામાં આવે છે. તેને નોકરની સાથે સરખામણી કરીને તેની જેમ ન કહી શકાય."
આગળ એમને કહ્યું હતું કે, “જો મહિલાને તેના ઘરના કામ કરવાની કોઈ ઈચ્છા ન હોય તો તેણે લગ્ન પહેલા તે જણાવવું જોઈએ, જેથી પુરુષ પોતે લગ્ન વિશે વિચારી શકે. જો લગ્ન પછી આવી સ્થિતિ ઉભી થાય તો આવી સમસ્યાનો ઉકેલ વહેલી તકે થવો જોઈએ" જણાવી દઈએ કે ન્યાયાધીશોની બેન્ચે આ એક વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સમયે આ કહ્યું હતું.
આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો
પરિવારે આ અરજી મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ ક્રૂરતાના કેસ સામે દાખલ કરી હતી. જણાવી દઈએ કે 498A સ્પષ્ટ કરે છે કે જો પતિ અથવા પતિનો પરિવાર પત્ની સાથે ક્રૂરતા કરે છે તો તેમને ત્રણ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે અને તેમના પર દંડ પણ લગાવવામાં આવી શકે છે. કલમ 498A ઉપરાંત એ મહિલાએ તેના પતિ પર IPC કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 504 (ઈરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) આપવાના આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો.
ફરિયાદમાં દહેજની માંગણી પર પણ વાત કરી કરી હતી
જણાવી દઈએ કે મહિલાએ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ભાગ્યનગર પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયા પક્ષ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ એક મહિના સુધી તેની સાથે ઉચિત વ્યવહાર કરવામાં આવ્યો હતો. પણ તે પછી તેના પતિ અને સાસરિયાઓએ તેની સાથે નોકરની જેમ વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયા અને પતિએ ફોર વ્હીલર ખરીદવા માટે 4 લાખ રૂપિયાની માંગ પણ કરવા લાગ્યા હતા. આટલા પૈસા આપવા માટે તેના પિતા સક્ષમ નહતા. મહિલાએ દાવો કર્યો હતો કે આ પછી તેના પતિએ તેને માર માર્યો અને માનસિક ત્રાસ આપ્યો હતો.
પહેલા પતિ પર પણ લગાવ્યા હતા આવા આરોપ
જણાવી દઈએ કે પતિ અને તેના પરિવારે બેન્ચને જણાવ્યું હતું કે મહિલાના પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને તેના પહેલા પતિ પર પણ આવા જ આક્ષેપો કર્યા હતા અને કોર્ટમાં તેના પર અત્યાચારની અને ત્રાસની આવી જ વાર્તાઓ કહી હતી. સાથે જ એમને જણાવ્યું હતું કે મહિલાના પહેલા પતિને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
આ વાત પર બેન્ચે કહ્યું હતું કે પહેલાના આરોપો પરથી એવું ન કહી શકાય કે પત્નીને આરોપો લગાવવાની અને પૈસા પડાવવાની આદત છે. પતિએ દ્વારા કરવામાં આવેલ આવી દલીલ પુરવાર થવી જોઈએ. જો કે, બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર 'માનસિક અને શારીરિક' સતામણી શબ્દનો ઉપયોગ ભારતીય દંડ સંહિતાની કલમ 498A ના તત્વોને આકર્ષવા માટે પૂરતો નથી, જ્યાં સુધી આવા કૃત્યોનું વર્ણન ન કરવામાં આવે.'