અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે દિવસમાં કેટલી વખત મખાના ખાવા જોઈએ સાથે જ તમારે કયા સમયે તેનું સેવન કરવું જોઈએ.
વજન ઘટાવામાં ફાયદાકારક છે મખાના
જાણો દિવસમાં કેટલા અને કેટલી વખત ખાવા જોઈએ
જાણો તેના અન્ય હેલ્થ બેનિફિટ્સ
વજન ઓછુ કરનાર લોકોનો પ્રયત્ન રહે છે કે તે એવી વસ્તુઓનું સેવન કરે જેનાથી કેલેરીની માત્રા ઓછી થઈ જાય અને પેટ પણ ભરેલુ રહે. એક એવુ જ સુપર ફૂડ છે મખાના, જેનાથી ન્યુટ્રિએન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને તેનું સેવન કરવાથી વજન ઘટવામાં પણ મદદ મળે છે. મખાના સ્ટાર્ચથી ભરપુર એક બીજ હોય છે જે તળાવમાં ઉગતા છોડમાંથી મળે છે.
હેલ્દી સ્નેક્સ છે મખાના
તેને એક હેલ્દી સ્નેક્સ માનવામાં આવે છે. કારણ કે લોકો તેને ઘીમાં ફ્રાય કરીને ખાય છે. તેની ખાસિયત છે કે આ શરીરની એક્સ્ટ્રા ફેટ ઓછી કરવામાં મદદ કરે છે. મખાનાના બીજા બેનિફિટ્સની વાત કરવામાં આવે તો તેમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન હોય છે અને તેનાતી પણ વેટ લોસમાં મદદ મળે છે.
આટલું જ નહીં મખાનામાં ફાઈબર પણ ખૂબ વધારે હોય છે. જે કારણે આપણુ પેટ પણ હલ્દી રહે છે. ફાઈબરની ખાસિયત છે કે આ પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. એવુ પણ જોવામાં આવ્યું છે કે લોકોમાં મોટાભાગે મખાનાના સેવનને લઈને કંફ્યુઝન રહે છે.
ઘણા લોકો કરી લે છે વધારે પ્રમાણમાં સેવન
ઘણા લોકો મખાના હેલ્દી હોવાના કારણે તેનું વધારે પ્રમાણમાં સેવન કરી લે છે. પરંતુ આ રીતે તેમને ફાયદાની જગ્યા પર નુકસાન થાય છે. અહીં અમે તમને જણાવી દઈએ કે તમારે દિવસમાં કેટલા મખાના ખાવા જોઈએ. સાથે જ તમારે તેને કયા સમયે ખાવા જોઈએ. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તમે કયા કયા હેલ્થ બેનિફિટ્સ પણ મેળવી શકો છો.
દિવસમાં ખાઓ આટલા મખાના
મખાનાને ફ્રાય કરીને ખાવા ઘણા લોકોને પસંગ આવે છે. પરંતુ તમને જણો છો કે તેને સીમિત માત્રામાં જ ખાવા જોઈએ. રિસર્ચમાં સામે આવ્યું છે કે એક વ્યક્તિને દિવસમાં 6થી 7 મખાના જ ખાવા જોઈએ. તમે તેની સ્મૂદી ખાવા માંગો છો તો તેને કોઈ બીજી વસ્તુઓની સાથે મિક્ષ કરીને ખાઈ શકો છો.
દિવસમાં આ સમયે ખાવા જોઈએ મખાના
ભલે મોટાભાગના લોકો મખાનાને એક સ્નેક્સના રૂપમાં ખાતા હોય પરંતુ તેના સેવન માટે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્સપર્ટ્સ અનુસાર મખાનાની સ્મૂદી ખાવામાં આવે કે ધીમાં ફ્રાય કરીને ખાવામાં આવે તેને ખાવાનો યોગ્ય સમય સવારનો છે. રિપોર્ટ્સ અનુસાર સવારના સમયે તેને ખાવાથી તેને સરળતાથી પચાવી શકાય છે. સાથે જ પેટ પણ ખૂબ જ મોડા સુધી ભરેલુ રહે છે. એવામાં તમને ફૂડ ક્રેવિંગ હેરાન નહીં કરે અને વજન ઘટવામાં પણ મદદ મળે છે.
પેટને રાખે છે હેલ્દી
જો તમારૂ મેટાબોલિઝ્મ રેટ સારૂ હોય તો તેનાથી પેટનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. મખાનામાં ફાઈબરની ભરપુર માત્રા હોય છે. માટે તે પાચન પ્રક્રિયા અને મેટાબોલિઝમને વધારી દે છે તે ઉપરાંત પેટની સમસ્યા જેવી કે અપચો, કબજીયાતથી બચી શકાય છે.