તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે અને લોકોને હસાવી રહ્યું છે. 28 જુલાઈ 2020એ શોને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. કોરોનાને કારણે શો બંધ હતો પરંતુ હવે ફરી શોને શરૂ કરવામાં આવ્યો છે. જોકે, લોકોને આશા હતી કે શોમાં દયાબેનની એન્ટ્રી થશે, પરંતુ હજી સુધી ફેન્સ દયાબેનની રાહ જ જોઈ રહ્યાં છે.
તારક મહેતા કોરોના બાદ ફરી શરૂ થયું
12 વર્ષથી દર્શકોને હસવી રહ્યો છે શો
દર્શકો દયાબેનની રાહ જોઈ રહ્યાં છે
આને લઈને શોના મેકર અસિદ મોદીએ કહ્યું કે, આ દયા શોમાં ન હોવાથી કોઈ ફરક પડતો નથી. દર્શકો આ વાત સમજી ગયા છે. જો દયા નહીં હોય તો પણ શો આગળ વધશે. રિપોર્ટ્સ મુજબ અસિત મોદીએ કહ્યું- અઢી વર્ષથી આ શો દયાબેન વિના જ ચાલી રહ્યો છે. દયાબેનના ન હોવાથી શોની પોપ્યુલેરિટીમાં કોઈ ફરક પડ્યો નથી.
તેમણે આગળ કહ્યું- અમારા શોના દર્શકો આ વાત સમજી ગયા છે. દર્શકો હજી પર દિશા વાકાણીની રાહ જોઈ રહ્યાં છે. તેમને લાગે છે કે અમે દયાને પાછી લાવી રહ્યાં છે. પરંતુ જો દિશા વાકાણી શોમાં વાપસી કરવા નથી માંગતી તો શો રોકાશે નહીં. શો મસ્ટ ગો ઓન.
અસિત મોદીએ આગળ કહ્યું-શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હવે દિશાનું શોમાં હોવું કે ના હોવું ચર્ચાનો વિષય નથી. તે આવે તો ઠીક અને ના આવે તો પણ ઠીક છે. પછી અમે નવી દયાબેનને લાવીશું. કામના મામલામાં કોઈની સાથે જબરદસ્તી ન કરી શકાય. જેથી દયાબેનની શોમાં વાપસી હજી પણ એક સવાલ છે.