હાલ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે લોકો રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઘણાં ઉપાયો કરી રહ્યાં છે. એમ પણ આયુર્વેદમાં પણ ઈમ્યૂનિટી વધારવાના ઘણાં ઉપાયો જણાવ્યા છે. જેથી આજે અમે તમને એક એવા બેસ્ટ અને આયુર્વેદિક ઉકાળાની રેસિપી જણાવીશું, જે તમારી કોરોના સામે રક્ષા કરશે અને આ સંક્રમણથી પણ તમને અને તમારા પરિવારને બચાવીને રાખશે. તો ચોક્કસથી રોજ તમારા રસોડે બનાવીને પીજો અને પીવડાવજો અને બીજાને પણ આ રેસિપી જણાવજો.
ઉકાળો બનાવવા માટે સૌથી પહેલાં 2 કપ પાણી ઉકાળવા મૂકવું, પછી તેમાં તૈયાર કરેલો પાઉડર અડધી ચમચી નાખવો અને 10-10 પાન તુલસી અને ફુદીનો અને એક ઈંચ આદુનો ટુકકો સાથે વાટી એ પણ પાણીમાં નાખવું. જો કોઈ સામગ્રી ન હોય તો પણ બનાવી શકો છો. પછી તેમાં 1 ચમચી દેશી ગોળ નાખવો. પાણી ઉકળીને અડધું રહે એટલે ગેસ બંધ કરી દેવો. ઉકાળો નવશેકો રહે એટલે પી જવો. આ ઉકાળો નાના બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ બેસ્ટ છે. તમે ગમે તે સમયે દિવસમાં એક કે બેવાર આ ઉકાળો પી શકો છો.