ઉત્તરાયણ પર્વ નજીકમાં છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આ પર્વમાં ખીચડો ખાવાની પરંપરા છે. જુદા જુદા પ્રાંતોમાં આ દિવસ પોતાની આગવી રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં ખીચડો બનાવવામાં આવે છે, તો જાણો તમે આ ટ્રેડિશનલ રેસિપીને સરળતાથી કઈ રીતે બનાવશો. આ સાથે જાણો તેને ખાવાના ફાયદા પણ.
ઉત્તરાયણે ન ભૂલશો આ ટ્રેડિશનલ વાનગી
સાત ધાનનો ખીચડો ખાવાના છે અનેક ફાયદા
ટેસ્ટી અને હેલ્ધી ખીચડાની સિમ્પલ રેસિપી
ખીચડાને આ ઋતુમાં ખાવા એ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તો ગૃહિણીઓ આજથી જ તૈયાર થઈ જાઓ વિવિધ પ્રકારના ખીચડા બનાવવા માટે. આ ખીચડો ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. અને ખવડાવામાં તો વધારે મજા આવે છે. તો આજે જાણી લો આપણી આ પંરપરાગત વાનગીની રેસિપિ.
સૌપ્રથમ ચોખાને ધોઈ લો અને બાકીના બધા ફણગાવેલા દાણાને પણ ધોઈ લો. સમારેલી ડુંગળી, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં હળદર, કોથમીર, આદુની પેસ્ટ, તેલ અને મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં ચોખા અને અન્ય દાણા ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે એક મોટી હાંડીમાં, 5 ટી કપ પાણી ઉમેરો. હાંડીને ઢાંકીને ઓછામાં ઓછી 35 થી 40 મિનિટ સુધી ચઢવા દો. ગરમા-ગરમ સાત ધાન ખીચડો તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.