સામાન્ય રીતે આપણા ત્યાં ઉપવાસમાં બટાકાની સૂકી ભાજી બનાવવામાં આવતી હોય છે. આ સિવાય તેની ચિપ્સ આપણે ખાઈ લઈએ છીએ. જો વધારે કંઈ બનાવી લીધું હોય તો સાબુદાણા અને બટાકાની ટિક્કી. પણ જો આ નવરાત્રિના ઉપવાસમાં તીખું તમતમતું ખાવાની ઈચ્છા થાય તો તમે ફરાળી બટાકાવડા ટ્રાય કરી શકો છો. તેનાથી તમારા મોઢામાં સ્વાદ વધશે અને અલગ ખાવાની મજા પડશે.
સૌ પહેલાં શેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડું મીઠું નાંખીને ખીરું બનાવી લો. બટાકાવડાને કવર માટે મુકી રાખો. હવે બટાકાને સારી રીતે મસળી લો. તેમાં બધી સામગ્રી મિક્સ કરીને નાના-નાના લૂઆં બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લૂઆને નાંખીને તળી લો. ધીમા તાપ પર થવા દો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.
દહીં સિવાય તમે તેને લીલા મરચાં કે લીલી ચટણી સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો. તે વધારે ટેસ્ટી લાગે છે.