શિયાળાની સીઝનમાં ચ્યવનપ્રાશનું મહત્વ વધી જાય છે. જો તમે જોયું હોય તો આ સીઝનમાં આર્યુવેદિક ચીજોમાં ચ્યવનપ્રાશ સૌથી વધારે વપરાય છે. હવે બજારમાં પણ વિવિધ કંપનીના ચ્યવનપ્રાશ તૈયાર મળે છે. જો તમે તેને ઘરે બનાવવા ઇચ્છો છો તો તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો જાણી લો રેસિપિ અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ. આ તમારા બાળકોને માટે ખૂબ જ હેલ્ધી રહે છે.
સૌ પહેલાં સ્ટીલના વાસણમાં છ લિટર પાણીને ગરમ કરવા મૂકો. ગોખરુંને કપડાંમાં બાંધો. દરેક મસાલાને એક બાદ એક પાણીમાં નાંખો. હવે ગોખરુંને કપડાંમાં બાંધો અને તેની પોટલી બનાવીને તેને પાણીમાં નાંખો. હવે તેમાં અઢી કિલો આમળા પણ ઉમેરો. આ દરેક ચીજને મિડિયમ ગેસ પર બે કલાક ઉકળવા દો. તેને ઢાંકીને 12 કલાક સુધી રહેવા દો. હવે તેમાંથી આમળાને કાઢો. તેને પાણીમાં નાંખો અને ધોઇ લો. આમળામાંથી અલગ જ સુગંધ આવશે. હવે આમળાનો પલ્પ કાઢો. તેને હાથથી જ અલગ કરી દો. તેને વાટકી કે હાથથી ચાળણીમાં ચાળો. તેના રેસા રહેશે અને રસ નીચે રહેશે. તૈયાર છે આમળાનો પલ્પ. પહેલાં એક લોખંડની કડાઇ ગરમ કરો અને હવે તેલ નાંખો. તેમાં ઘી પણ એડ કરો. તેમાં આમળાનો પલ્પ ઉમેરો અને તેને શેકો. તે ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચલાવો. તેમાં દોઢ કિલો ખાંડ ભેળવો. તે ઘટ્ટ થશે. તે ઠંડુ થાય ત્યારે તેમાં એલચી, નાગકેસર, તેજપત્તા, મધ, કેસર, બર્સલોચન, નાની પીપર, તજને મિક્સરમાં ક્રશ કરો. ચ્યવનપ્રાશ ઠંડુ થાય એટલે આ પાવડરને તેમાં મિક્સ કરો. મધ ઉમેરો. બધી ચીજને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે ચ્યવનપ્રાશ.
(નોંધ - ચ્યવનપ્રાશ બનાવતી સમયે કોઇપણ કામમાં તાંબા કે પિત્તળના વાસણ ન વાપરવા. સ્ટીલ કે લોખંડના વાસણનો ઉપયોગ આવશ્યક છે. અહીં આપવામાં આવેલી ભેળવવાની ચીજો આર્યુવેદિક સ્ટોર્સ પર સરળતાથી મળી રહે છે.)
ચ્યવનપ્રાશના ફાયદા
શરીરની ઈમ્યુનિટી વધારે છે અને રોગ સામે લડવાની શક્તિ આપે છે. યાદ શક્તિ વધારે છે. ભોજનને પચાવવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશની તાસીર ગરમ હોવાથી તમને ઠંડીથી બચાવે છે. ગળામાં જામેલા કફને દૂર કરે છે. તમે તેને ગરમ દૂધમાં નાંખીને પણ પી શકો છો. વધતા કોલેસ્ટ્રોલથી હેરાન રહેતા લોકોને પણ મદદ કરે છે. રક્તનો પ્રવાહ સુધારે છે અને હ્રદય સાથેની સમસ્યાઓમાં પણ લાભદાયી છે.