ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક વ્યક્તિને પ્રશ્ન થતો રહે છે કે ભગવાન શ્રીગણેશને શું પ્રસાદ ધરાવવો. મોટાભાગના લોકો બહારથી ચુરમાના લાડુ, બેસનના લાડુ કે મોતીચૂરના લાડુ લઈ આવે છે અને ભગવાનને ભોગ ધરાવે છે. પણ શું તમે ક્યારેય ઘરે જ મોતીચૂરના લાડુ બનાવવાનો ટ્રાય કર્યો છે? ના. તો આજે આ સરળ રેસિપીની મદદથી ટ્રાય કરી લો શ્રીગણેશના પ્રસાદ રૂપી મોતીચૂરના લાડુને.
ચણાના લોટનો ગાઢો ખીરું તૈયાર કરી લો. એમાં કેશરિયો રંગ નાખી . કઢાઈમાં ઘી ગર્મ કરો અને એમાં કોઈ ચાલણીથી ચણાનો લોટ નાખી
બૂંદી તળી લો. એક બીજા વાસણમાં સમાન માત્રામાં પાણી અને ખાંડ નાખી એક તારની ચાશની બનાવો. આમાં બૂંદી અને બદામ અને ઈલાયચી પાવડર નાખી સારી
રીતે મિક્સ કરી લો. ઠંડા થતાં લાડૂ બનાવી લો. લાડૂને થાળીમાં સજાવી સુકવા દો. મોતીચૂરના લાડૂ તૈયાર છે.
સૌ પહેલાં તો ચણાનો લોટ લઈને ચારણીની મદદથી ચાળી લો. હવે તેમાં થોડું થોડું પાણી નાંખીને ખીરું તૈયાર કરો. ધ્યાન રહે કે ખીરું બનાવતા તેમાં ગઠ્ઠા ન પડે. હવે તેમાં કેસરી રંગ ઉમેરો. હવે એક કઢાઈ લો અને તેને ગેસ પર ગરમ મૂકો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે એક ઝીણા કાણાંના ઝારાની મદદ લો. ઝારાને કઢાઈની ઉપર રાખો. તેની પર ચણાના લોટનું ખીરું નાંખો. હવે ધીમે ધીમે ઝારાના કાણાંમાંથી બૂંદી કઢાઈમાં પડશે. તેને તળી લો.
બીજા ગેસ પર ચાસણીની તૈયારી કરો. પાણી અને ખાંડને એકસરખા પ્રમાણમાં લઈને ગરમ કરવા મૂકો. તેની એક તારની ચાસણી બનાવો. ચાસણીમાં થોડું દૂધ નાંખીને તેને ગાળી લો. જેથી કચરો ન રહે. હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી લો. ગરમ ચાસણીમાં કઢાઈમાંથી કાઢેલી બૂંદી નાંખતા જાઓ. તેને સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ બાદ કાઢી લો. બૂંદી થોડી ગરમ રહે ત્યારે જ તેના લાડુ બનાવી લો. તેની પર બદામ કે પિસ્તાની કતરણ રાખો અને સજાવો. તૈયાર છે તમારા મોતીચૂરના લાડુ. તમે તેને શ્રીગણેશના થાળમાં સજાવીને પ્રસાદરૂપે ધરી શકો છો.