આજે દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક ઘરમાં ભગવાનને ખાસ ભોગ ધરાવાય છે. લૉકડાઉનમાં ભગવાનના ભોગ માટે તમે ઘરે જ મગની દાળનો શીરો બનાવી શકો છો. જો તમે હજુ સુધી ભોગની કોઈ તૈયારી નથી કરી તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. તે હેલ્ધી હોવાથી તમારી ઇમ્યુનિટી પણ વધારશે. તો કરી લો તૈયારી.
મગની દાળનો શીરો
સામગ્રી
1 કપ મગની દાળ
3/4 કપ ઘી
1 કપ ખાંડ
2 થી 3 કપ દૂધ
1 ચપટી એલચી પાવડર
કાજુની કતરણ
બદામની કતરણ
પિસ્તાની કતરણ
રીત
સૌપ્રથમ મગની દાળને મિક્સીમાં કોરી જ કરકરી પીસીને રવા જેવો લોટ તૈયાર કરો. હવે એક કડાઈમાં ઘી લઈ ગરમ કરો. તેમાં વાટેલી મગની દાળ નાંખી ધીમા તાપે શેકો. લાલ રંગ થાય એટલે એમાં દૂધ નાંખી ધીમે તાપે ચડવા દો. હલાવતા રહો, લચકા જેવું થાય એટલે ખાંડ નાંખી હલાવો. ખાંડનું પાણી બળી જાય અને ઘી છુટું પડે એટલે તેમાં એલચી પાવડર, સુકામેવાની કતરણ નાંખીને સર્વ કરો.