આવતીકાલે રથયાત્રાનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાનના ભક્તોને માટે મહંત નરિસંહદાસજીએ જમાલપુરના મંદિરમાં કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ બનાવડાવ્યો હતો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે.
રથયાત્રામાં ભગવાન જગન્નાથને ચઢે છે ખાસ પ્રસાદ
કાળી રોટી અને ધોળી દાળનો પરંપરાગત ભોગ બનાવો
જાણો માલપુઆ અને દૂધપાકની ખાસ રેસિપી
ભગવાન જગન્નાથના દર્શને આવેલા ભક્તો ભૂખ્યા ન રહે તે માટે તેમને આ કાળી રોટી અને ધઓળઈ દાળનો પ્રસાદ આપવામાં આવે છે. ભક્તોને આ સિવાય ઘરે લઈ જવા માટે ચણાનું શાક, બૂંદી અને ગાંઠિયા પણ પરંપરા અનુસાર આપવામાં આવે છે. આ પ્રસાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવે છે.
તો તમે પણ આ રથયાત્રાએ બનાવી લો ઘરે જ આ પરંપરાગત પ્રસાદ.
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો આવે અને બરાબર ઉકળે એટલે ચોખાને ઘીથી મોઈ નાંખવો અને હલાવ્યા કરવું. ચોખા બરાબર બફાય અને ફાટે એઠલે ખાંડ નાંખવી. બરાબર દૂધ જાડું થાય અને બદામી જેવા કલરનું થાય એટલે ઉતારી ઝીણો મલમલનો કટકો ઢાંકી દૂધપાક ઠંડો થવા દેવો પછી બદામને ગરમ પાણીમાં પલાળી, છોલી, તેની કાતરી, ચારોળી અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો.
સૌપ્રથમ બધી જ સામગ્રી ભેગી કરી, માલપુઆ માટેનું ખીરુ તૈયાર કરો. અન્ય એક બાઉલમાં પાણી અને ખાંડ મેળવી ચાસણી તૈયાર કરી લો. હવે પેન પર એક ચમચો ખીરુ નાંખી ધીમાં તેને શેકો. તેને ઘીમાં શેલો ફ્રાય કરો. પુડલો થોડો લાલાશ પડતો થાય એટલે પ્લેટમાં કાઢી લો. સર્વ કરતાં પહેલાં ચાસણી ગરમ કરો અને તેમાં એક મિનિટ માટે પુડલો પલાળી રાખો. બાદમાં આ ગરમ-ગરમ પુડલો સર્વ કરો.