શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે તમે અનેક અવનવી વાનગીઓ તૈયાર લાવવાના બદલે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. શિયાળામાં સરળતાથી મળી જતા કાળા અને સફેદ તલ અનેક ફાયદા કરે છે. બ્યૂટીથી લઈને શરીરના અનેક રોગોમાં તે લાભદાયી ગણાય છે. તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત દૂર કરનાર, તાકાત આપનારા, વાળ માટે હિતકર, ધાવણ વધારનારા, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી છે.
સરળતાથી મળી રહેતા કાળા અને સફેદ તલમાં ઘરમાં રહેતી જ કેટલીક ચીજો મિક્સ કરીને તમે સરળતાથી ગજક બનાવી શકો છો. તે તમારા માટે લાભદાયી રહેશે. તેને બનાવવાનું પણ સરળ છે અને ઝડપથી બની જાય છે. તો નોંધી લો રેસિપી અને બનાવી લો ગજક.
તલને ધીમા તાપે શેકી લો. તલ સહેજ ઠંડા થાય એટલે તેનો ખાંડીને ભૂકો કરી લો. હવે ગોળમાં અડધો કપ પાણી નાંખી તેની ઘટ્ટ ચાસણી બનાવી લો. ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલા અને ખાંડેલા તલ નાંખી મિક્સ કરી લો. ત્યારબાદ એક પ્લેટમાં સહેજ ઘી લગાવી તેના ઉપર આ મિશ્રણ પાથરી દો. સહેજ ઠંડું થાય એટલે તેના ચોરસ કટકા કરી સર્વ કરો.
તલના ફાયદા
વહેલી સવારે એકાદ મુઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબૂત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુ:ખતા કે પડતા નથી .
આહાર પર અભિરુચિ ઉત્પન્ન થાય છે. તલના તેલનો કોગળો કરનારને ક્યારેય મુખશોષ(મોં સૂકાવું તે) થતો નથી કે હોઠ ફાતવાનો ભય રહેતો નથી.
વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો.
દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.
તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો.
બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.
તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે.
એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.
તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.
તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.
ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.
તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.