વર્ષાઋતુમાં શરદી અને કફની સમસ્યા મોટાભાગે જોવા મળે છે. આ સમસ્યામાં કયા ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાયોથી રાહત મેળવી શકાય તે જાણી લેવું અગત્યનું છે. આજે આર્યુવેદ ડોક્ટર પ્રીતી ભટ્ટ જણાવે છે કે નાના ઉપાયોથી કઈ રીતે તંદુરસ્ત રહી શકાય. સાથે જ કઈ રીતે હર્બલ ટી બનાવીને તેનો ઉપયોગ રોજ સવારે કરી શકાય તે વિશે જાણીએ.
બધી ચીજોને 200 એમએલ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. સુગંધ આવે ત્યાં સુધી રાહ જુઓ. તેમાં ખાંડના બદલે સાકર કે મધ મિક્સ કરો. બધું તૈયાર થાય એટલે તેમાં થોડું લીંબું ઉમેરો. હર્બલ ટી તૈયાર થઈ જશે.
આ સિવાય પણ કેટલાક ઉપાયો છે જેનો તમે ઉપયોગ કરીને ચોમાસાની સીઝનમાં સ્વસ્થ રહી શકો છો.
રોજ જમતા પહેલાં આદુના છીણમાં લીંબુ અને મીઠું નાંખીને ખાવું. તેનાથી કફ નહીં થાય અને ખોરાક પણ જલદી પચશે.
ઉધરસ રોકવા માટે ઈલાયચી અને લવિંગને શેકો અને બંનેને મિક્સરમાં સાથે ક્રશ કરી લો. આ પાવડરને દિવસમાં 2 વાર મધ સાથે ઉપયોગમાં લો.
સૂંઠની ગોળી રોજ સવારે 1 વાર ખાવી. તેનાથી શરીરને શક્તિ અને ગરમી મળે છે. કફ પણ થતો નથી.
ગંઠોડાની રાબ પીવાથી શક્તિ મળે છે. ચક્કર આવતા નથી અને સાથે લો બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે.
કફ જામી ગયો હોય તો અજમાને તવા પર શેકો અને તેની સ્ટીમને પાતળા કપડાંની મદદથી છાતી પર શેક કરો. ફેફસાંનો કફ છૂટો પાડીને આરામ આપે છે.
હળદરનું દૂધ, હળદર અને મીઠાના પાણીના કોગળા કરવાથી પણ કફમાં રાહત મળે છે.
અજમાનું પાણી પીવાથી શરીરને ગરમી મળે છે અને સાથે શરદી કે ખાંસી કે વાયુ થતા નથી.
અજમાના પાણીમાં હળદર, મીઠું અને ઘી નાંખીને હૂંફાળું ગરમ કરો અને તેના કોગળા કરો. આમ કરવાથી થ્રોટ ઈન્ફેક્શનમાં રાહત મળશે.