આદુમાં અનેક પ્રકારના એન્ટી વાયરલ એલીમેન્ટ્સ જોવા મળે છે જે કોરોના વાયરસથી શરીરની રક્ષા કરે છે. તમે તેના ઉપયોગથી ઈમ્યૂન સિસ્ટમને પણ સ્ટ્રોન્ગ કરી શકો છો. આદુનો ફાયદો લેવા માટે તમે તેને દિવસમાં 3થી 4 વાર થોડા થોડા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકો છો. જો તમે તેને વરિયાળી કે મધ સાથે ઉપયોગમાં લો છો તો તે વધારે અસરકારક હોય છે. આ સિવાય તમે આદુની ચટણી બનાવીને તેને દાળ, શાક કે કઢીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આમ કરવાથી તમે તેનો ઉપયોગ સરળ બનાવી શકો છો.
આદુની ચટણી
સામગ્રી
1/2 કપ સમારેલું આદું
11/2 ટેબલસ્પૂન તેલ
2 ટેબલસ્પૂન સમારેલું લસણ
4 થી 5 આખા સૂકાં લાલ મરચાં
1 ટીસ્પૂન જીરૂં
2 ટેબલસ્પૂન આખા ધાણા
8 થી 10 મીઠા લીમડાના પાન
2 ટેબલસ્પૂન આંબલી
1/4 કપ સમારેલો ગોળ
મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે
1/2 ટીસ્પૂન રાઈ
1/2 ટીસ્પૂન ચણા દાળ
1/2 ટીસ્પૂન અડદની દાળ
1 નંગ સૂકું લાલ મરચું
1 ટીસ્પૂન લસણ સમારેલું
4 થી 5 મીઠા લીમડાના પાન
રીત
સૌપ્રથમ એક પહોળા નોન સ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-લસણ ઉમેરીને મધ્યમ તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આખા લાલ મરચાં, જીરૂં, ધાણા, મીઠો લીમડો અને આંબલી ઉમેરીને બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. સતત હલાવતા રહો. ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. હવે તેમાં ગોળ, મીઠું અને લગભગ અડધો કપ પાણી ઉમેરીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી તેને ગ્રાઈન્ડ કરો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ તેમાં વઘાર માટેની તૈયારી કરો. તેને માટે વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ, ચણાની દાળ અને લાલ મરચું ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લસણ અને મીઠો લીમડો ઉમેરીને બીજી થોડીક સેકન્ડ માટે સાંતળો. હવે આ વઘારને તૈયાર કરેલી ચટણીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ ચટણીને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. જરૂર પડે ત્યારે ઉપયોગમાં લો.