ભગવાન સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિનુ પર્વ મનાવવામાં આવે છે. આમ તો આ પર્વ દર વર્ષે 14 જાન્યુઆરીએ આવે છે, પરંતુ લોકો આ વર્ષે તિથિને લઇને અસમંજસમાં છે.
હિન્દુ પંચાગ મુજબ, 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે 14 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ઉદિયા તિથિને પગલે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે અમુક એવા કાર્ય હોય છે, જેને ના કરવા જોઈએ.
દારૂનુ સેવન ના કરવુ જોઈએ
મકર સંક્રાંતિના દિવસે દારૂનુ સેવન ના કરવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થવા લાગે છે અને માણસને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ
મકર સંક્રાંતિના દિવસે માણસે તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ. માઘ મહિનામાં આમ પણ તામસિક, નોનવેજ પદાર્થોના સેવન કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા મળતી નથી.
સાત્વિક ભોજન કરવુ ઉત્તમ
મકર સંક્રાંતિએ સાત્વિક ભોજન કરવુ ઉત્તમ રહે છે. સવારથી લઇને સાંજ સુધી માત્ર સાત્વિક ભોજન કરો. એટલું જ નહીં, ભોજનમાં લસણ અને ડુંગળીનો પણ ઉપયોગ ના થવો જોઈએ.
જરૂરીયાતમંદને ખાલી હાથ ના મોકલશો
આ પાવન પર્વના દિવસે જો ઘરમાં કોઈ જરૂરીયાતમંદ અથવા ભિખારી આવે તો તેને ખાલી હાથ ના મોકલશો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઇ શકે છે. પોતાના સામર્થ્ય મુજબ દાન-દક્ષિણા આપી જરૂરીયાતમંદને ઘરમાંથી વિદાય આપો.
ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ
મકર સંક્રાંતિએ ભૂલથી પણ કોઈ ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ. બની શકે તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપવાથી તમે પોતે પરેશાનીમાં પડી શકો છો.