ગુજરાતીઓને દાળ ભાત વગર ક્યારેય ભોજન પુરું થતું નથી. તો આજે દાળને આપો આ સિંધી ટચ અને માણો મજા.
સિંધિ રસોઇઘરમાં તમને તીન દાન કે દાલ પકવાન જોવા મળશે. જો તમને પણ દાળ સૌથી વધારે ભાવતી હોય અને એકમાત્ર ગુજરાતી દાળની રેસિપિમાં વેરાઇટી ઇચ્છતા હોવ તો અહીં આપેલી દાળની રેસિપી પર એકવાર નજર કરીને તેને બનાવી લો. તે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ લાગે છે.
- એક કપ મેંદો
- બે ટીસ્પૂન ઘઉંનો લોટ
- એક ટીસ્પૂન સોજી(રવો)
- ચપટી જીરું
- બાર નંગ મરી (ક્રશ કરેલા)
- તિરુપતિ સિંગતેલ તળવા માટે
- મીઠું સ્વાદ પ્રમાણે
રીત
એક કપ ચણાની દાળને ત્રણ કપ પાણીમાં એક કલાક માટે પલાળો. પછી તેને નીતારી, ત્રણ કપ પાણી નાંખી, મીઠું અને હળદર નાંખી ચઢી જાય ત્યાં સુધી રાખો. પેન ગરમ થાય એટલે તેમાં જો દાળ ખૂબ કોરી થઈ ગઈ હોય તો અડધો કપ પાણી નાંખી હલાવો. તેમાં અડધો લાલ મરચાંનો પાઉડર, અડધો ગરમ મસાલાનો પાઉડર, આમચૂર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હલાવીને તેને ધીમા તાપે થવા દો. એક બીજી પેનમાં તિરુપતિ સિંગતેલ ગરમ કરી જીરું નાખો. જીરાનો કલર બદલાય એટલે લીલાં મરચાં, મીઠો લીમડો, બાકીનું લાલ મરચું અને ગરમ મસાલો નાંખી હલાવો અને પછી તેને દાળમાં રેડી દો. સારી રીતે મિક્સ કરી આંચ પરથી ઉતારી લો.
પકવાન બનાવવા માટે
એક મોટા બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરો. તેમાં રવો, જીરું, ક્રશ કરેલા મરી, ચાર ટેબલસ્પૂન મરી અને મીઠું નાંખી મિક્સ કરો. તેમાં જરૂર પ્રમાણે પાણી લઈ થોડો સોફ્ટ લોટ બાંધો. લોટના આઠ સરખા ભાગ કરો અને તે દરેકમાંથી ચાર ઈંચ વ્યાસવાળી પૂરી વણો. તેના પર ચપ્પા વડે થોડા કાપા પાડો. એક કઢાઈમાં તળવા માટે પૂરતું તિરુપતિ સિંગતેલ લઈ ધીમા તાપે પકવાન ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી થાય તેમ તળો. પછી તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. દાળને સમારેલી ઝીણી ડુંગળી અને કોથમીર નાખી પકવાનની સાથે ગરમ -ગરમ સર્વ કરો.