ગણેશચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલનારો તહેવાર છે. ગણેશજીને રોજ શું પ્રસાદ ધરાવવો તે અંગે તમે મૂંઝવણ અનુભવો તે સ્વાભાવિક છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ ગણેશજીને અતિપ્રિય એવા ચુરમાના લાડુની રેસિપી. જેનો ભોગ લગાવીને તમે ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. તો ગણેશચતુર્થીના પહેલા દિવસનો પ્રસાદ કરી લો તૈયાર.
ગણેશચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલનારો તહેવાર છે. ગણેશજીને રોજ શું પ્રસાદ ધરાવવો તે અંગે તમે મૂંઝવણ અનુભવો તે સ્વાભાવિક છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ ગણેશજીને અતિપ્રિય એવા ચુરમાના લાડુની રેસિપી. જેનો ભોગ લગાવીને તમે ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. તો ગણેશચતુર્થીના પહેલા દિવસનો પ્રસાદ કરી લો તૈયાર.
સૌ પહેલાં લાડવાના લોટને ચાળી લો. હવે મોણ માટેનું ઘી ગરમ કરી ઘઉંના લોટમાં મિક્સ કરો. થોડું હૂંફાળું પાણી લઈને મૂઠિયા માટેનો લોટ બાંધો. ગરમ પાણીથી લોટ બાંધવાથી મૂઠિયા સોફ્ટ બને છે. બીજી બાજુ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. લોટમાંથી મૂઠીયા વાળી લીધા બાદ એને ગરમ ઘીમાં તળી લો. મૂઠીયા નાંખતી વખતે ગેસ ફાસ્ટ રાખો. મૂઠીયા ઉપર તરવા લાગે એટલે ગેસ ધીમો કરો. મૂઠીયા સોનેરી રંગના થાય ત્યાં સુધી તેને તળો. હવે એક થાળીમાં મૂઠિયા ઠંડા કરવા રાખો.
મૂઠિયા ઠંડા થાય એટલે તેને મિક્સરમાં ચલાવી લો. લાડુ વાળવા જે લોટ તૈયાર થયો છે તેમાં જાયફળ અને એલચી મિક્સ કરો. તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો. થોડું ઘી તેમાં ઉમેરો અને તેના લાડુ વાળો. સાથે એક થાળીમાં થોડું ખસખસ રાખો. જેમાં તમે લાડુને રગદોળી શકો છો. હવે આ લાડુને ગણેશજીની પૂજાની થાળીમાં પધરાવો. તૈયાર છે ગણેશજીનો પ્રસાદ.