હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે તમે કન્યા જમણમાં અને સાથે જ માતાજીને ભોગમાં ઘઉંના લોટનો શીરો ધરો તે ખાસ જરૂરી છે. તો જાણો રેસિપિ.
ચૈત્ર નવરાત્રિના તહેવારમાં નોમના દિવસે માતાજીને ખાસ ભોગ ધરવામાં આવે છે. આ સાથે આ દિવસે કન્યાપૂજનનો પણ રિવાજ છે. આ દિવસે માતાજીને ધરાતા ખાસ ભોગમાં ચણા, પૂરી અને ઘઉંના લોટના શીરાનું ખાસ મહત્વ હોય છે. તો જાણો કઈ રીતે બનાવશો ઘઉંના લોટનો શીરો ઘરે જ ફટાફટ.
ઘઉંના લોટનો પૌષ્ટિક શીરો
સામગ્રી
-1 વાટકી ઘઉંનો લોટ
-2 મોટી ચમચી ઘી
-1 વાટકી ગોળ
-1/2 વાડકી પાણી
-સુકોમેવાની કતરણ જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં લોટને સારી રીતે શેકી લો. લોટ બદામી થાય કે તેમાં ગોળ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ગોળ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. ઉપરથી સુકો મેવાની કતરણ નાખીને ગરમા-ગરમ ઘઉંના લોટનો શીરો તમે માતાજીને પ્રસાદમાં ચઢાવી શકો છો.
નોમના દિવસે અચૂક આ પ્રસાદ ધરવાથી અનેક લાભ થાય છે. તો તમે પણ કરી લો ફટાફટ આ ખાસ પ્રસાદની તૈયારી અને કરો માતાજીને પ્રસન્ન.