જવમાં કેલરી બર્ન કરવાની ક્ષમતા હોય છે. આ સાથે જવની ખીર ઠંડી અને પૌષ્ટિક હોય છે. આથી તે તમને ગરમીથી બચવામાં પણ મદદ કરશે. જે લોકો ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર કે પથરીના દર્દી છે તેમના માટે પણ જવ ખુબ જ લાભદાયક હોય છે.
ઘરે બનાવી લો જવની ટેસ્ટી અને હેલ્ધી ખીર
જવની ખીરના છે અઢળક ફાયદા
આ રોગના દર્દીઓને આપે છે ફાયદો
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો? તો ભોજનમાં લો જવની સ્વાદિષ્ટ ખીર. હવે તમને વિચાર આવતો હશે કે, એક તો વજન ઘટાડવાની વાત કરી રહ્યા છે અને પાછા મીઠી વાનગી ખાવાનું કહી રહ્યા છે. મીઠામાં તો કેલરી વધારે હોય. હા તમે સાચું વિચારી રહ્યા છો. પરંતુ અમે પણ તમને ખોટી માહિતી નથી આપી રહ્યા.આથી જવની ખીરને ઉનાળામાં ખાવી વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. આ સાથે જ જે લોકો ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર કે પથરીના દર્દી છે તેમના માટે પણ જવ ખુબ જ લાભદાયક હોય છે. એક મીઠી-મીઠી વાનગી, અને આટલા બધા ફાયદા. તો બસ આજે જ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ વાનગી.
સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં બધી જ બદામ ઉમેરીને એક મિનિટ સુધી સાંતળો. બદામ સંતળાઈ જાય એટલે તેને કાઢીને એક પ્લેટમાં મૂકી દો. હવે તે જ ઘીમાં જવ અને દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને 20થી 25 મિનિટ સુધી ઉકાળો. વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવતા રહો. જેથી દૂધ પેનના તળિયામાં ચોંટી ના જાય. અડધો કલાક થઈ જાય એટલે તેમાં મોળો માવો, ખાંડ અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. ખીરને ખુબ જ સરસ રીતે ધીમેથી હલાવો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ખીર ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં રૂહઆફ્ઝા ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો. ખીરને ઠંડી થવા દો. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. બદામથી ગાર્નિશ કરીને તેને સર્વ કરો.
જવથી મળે છે આ ફાયદા
જવનું પાણી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હ્રદય રોગથી બચાવે છે. જવમાં વિટામિન બી કોમ્પલેક્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, સેલેનિયમ, ઝિંક, કોપર, એમીનો એસિડ, પ્રોટીન, ડાયટ્રી ફાઈબર્સ અને અનેક પ્રકારના ઓક્સીડન્ટ્સ હોય છે.