શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીનું તર્પણ અર્પણ કરીએ છીએ. આ સમયે જો તમે પરંપરાગત ખીર કે દૂધપાક બનાવો છો તો આજે અમે આપને માટે એક અલગ પ્રકારની ખીરની રેસિપી લાવ્યા છીએ. આ રેસિપી તમે સરળતાથી ઘરે જ ટ્રાય કરી શકો છો. તો બનાવી લો આજે સફરજનની ખીર. ખીરમાં ટ્વિસ્ટ સાથે પિતૃઓના આર્શિવાદ મેળવવા માટે આ બેસ્ટ છે.
સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં એક કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે રાંધો. હવે ગેસની આંચ બંધ કરી દો. રંધાઇને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી એલચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીર પીરસો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. અને જો તમે ઇચ્છો તો ગરમ-ગરમ ખીરનો સ્વાદ પણ માણી શકો છો.