14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ છે. એવામાં તમારે આ દિવસે જળના આ સાધારણ ઉપાય અવશ્ય કરવા જોઈએ. જેનાથી તમારા જીવનની દરેક પરેશાનીઓ દૂર થશે.
મકર સંક્રાંતિ પર જળનો આ ખાસ ઉપાય
આ કરવાથી તમારું ભાગ્ય ચમકી ઉઠશે
તમારા જીવનની દરેક પરેશાનીઓ દૂર થશે
મકર સંક્રાંતિએ કરવુ જોઈએ દાન
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનુ ઘણુ મહત્વ છે. આખા દેશમાં ખૂબ ધૂમધામથી મનાવે છે. આ દરમ્યાન સૂર્ય દેવ ધન રાશિમાંથી નિકળે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેના કારણે મકર સંક્રાંતિનુ પર્વ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી દાન કરવુ જોઈએ અને સૂર્ય દેવને જળ ચઢાવવાની માન્યતા છે. આમ કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે.
જળનુ ધાર્મિક મહત્વ
માનવ શરીર પાંચ તત્વોથી મળીને બનેલુ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જેમાં સૌથી વધુ મહત્વ જળને આપવામાં આવે છે. તમે બાળપણથી જ સાંભળતા આવી રહ્યાં છો કે જળ જ જીવન છે. સનાતન ધર્મમાં પણ જળને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ જળના ઘણા ઉપાય જણાવવામાં આવ્યાં છે. જેમાં પણ સ્નાન દાન અને અર્દ્યને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો આ કામ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે.
જળથી મકરસંક્રાંતિ પર કરો આ ઉપાય
જો તમે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માંગો છો તો તમારે મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરી લેવુ જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવુ જોઈએ. જેનાથી તમને આત્મવિશ્વાસ મળશે.
ભોજન જમતી સમયે પાણીનો ગ્લાસ જમણા હાથ તરફ રાખો. એવી માન્યતા છે કે આ ઉપાયથી ભાગ્ય ઉદય થશે.
મકર સંક્રાંતિના દિવસે સવારે શિવલિંગ પર જળ ચઢાવો. એવી માન્યતા છે કે આ ઉપાયથી દરેક સમસ્યાનુ નિરાકરણ થાય છે.
શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસે વિશેષ વૃક્ષોને જળ અર્પણ કરવુ જોઈએ. જેનાથી સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.
મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરમાં લગાવેલ તુલસીને જળ અર્પણ કરવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બને છે.