બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવતીકાલે મકર સંક્રાંતિ, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, જાણો સંપૂર્ણ વિધિ

ધર્મ / આવતીકાલે મકર સંક્રાંતિ, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, જાણો સંપૂર્ણ વિધિ

Last Updated: 12:15 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સોવાસે સ્નાન, દાન અને પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર પૂજાનું શુભ મુહુર્ત અને વિધિ.

મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ પર્વ છે, જે દર વર્ષે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણ શરૂ થાય છે. આ તહેવાર નવા પાકના આગમનનનું પ્રતિક કરે છે અને ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. આ દિવસે ખેડૂતો સૂર્ય ભગવાનનો આભાર માને છે, જેમણે તેમને સારો પાક આપ્યો. આ તહેવાર પર સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન તમામ જીવોને જીવન આપે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે ગરીબોને દાન કરવું પુણ્યનું કામ માનવામાં આવે છે. આ દિવસે તલના લાડુ-ચીકી અને તલની અન્ય વાનગીઓ ખાવી પણ શુભ માનવામાં આવે છે.

makarsankrati-1.jpg

હિન્દુ કેલેન્ડર અનુસાર, મહા મહિનાની પ્રતિપદા તિથિ 14 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 3:56 વાગ્યે શરૂ થશે અને 15 જાન્યુઆરી, બુધવારે સવારે 3:21 વાગ્યે સમાપ્ત થશે. 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ ધન રાશિમાંથી નીકળીને સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછી જ શાહી સ્નાન માટેનો શુભ સમય શરૂ થશે. મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 05.27 થી 06.21 સુધી રહેશે. મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ સવારે 9.03 થી સાંજના 05.46 સુધી અને મહાપુણ્યકાળ સવારે 9.03 થી 10.48 સુધી રહેશે. આ બે શુભ સમયમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

મકરસંક્રાંતિના દિવસે આ રીતે કરો પૂજા

  • મકરસંક્રાંતિના દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • સૂર્યદેવને ગંગા જળથી સ્નાન કરાવો અને તેમને ફૂલ, ચંદન, કંકુ, સિંદૂર વગેરે અર્પણ કરો.
  • સૂર્ય ભગવાનના વિવિધ મંત્રોનો જાપ કરો અને તેમની સ્તુતિ કરો.
  • સૂર્ય ભગવાનને ભોગ ધરાવો. ફળો, મીઠાઈઓ અથવા અન્ય ભોગ ધરાવી શકાય છે.
  • સૂર્ય ભગવાનની આરતી કરો.
  • આ દિવસે ગરીબોને દાન કરો.
  • તલનું દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.
PROMOTIONAL 12

મકરસંક્રાંતિના દિવસે શું કરવું?

  • સ્નાન - ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો.
  • દાન - ગરીબોને કપડાં, ભોજન વગેરેનું દાન કરો.
  • તલનું સેવન - તલના લાડુ કે તલની અન્ય વાનગીઓ ખાઓ.
  • ધાબળાનું દાન - ગરીબોને ધાબળાનું દાન કરો.

આ પણ વાંચો: આ રાશિના જાતકો રૂપિયા ગણતા થાકશે, મકર સંક્રાંતિ પર 12 વર્ષ બાદ સૂર્ય-ગુરુનો શુભ સંયોગ

મકરસંક્રાંતિનું મહત્ત્વ

મકરસંક્રાંતિ એ નવા પાકને આવકારવાનો તહેવાર છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસને શુભ સમય માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગરીબોને દાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Makar Sankranti 2025 Makar Sankranti Shubh Muhurat Makar Sankranti Puja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ