મકર સંક્રાંતિને સૂર્ય ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. જેનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના આઠમા અધ્યાયમાં સૂર્ય ઉત્તરાયણના મહત્વને જણાવ્યું છે.
મકર સંક્રાંતિને સૂર્ય ઉત્તરાયણ પણ કહેવાય છે
જાણો તેનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ
ગીતાના આઠમા અધ્યાયમાં સૂર્ય ઉત્તરાયણનો છે ઉલ્લેખ
મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે
મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનુ મહત્વપૂર્ણ પર્વ છે. આમ તો ભારતમાં હંમેશા વ્રત-તહેવાર આવે છે. એવો કોઈ પણ મહિનો હોતો નથી, જ્યારે કોઈ વ્રત તહેવાર ના આવે. તેથી કહેવામાં આવે છે કે 'સદા દીવાલી સાલભર, સાતોં બાર તહેવાર.' આ તહેવારોમાંથી એક છે, મકર સંક્રાંતિનો તહેવાર. જેને પોંગલ, ખિચડી, માઘી, ઉત્તરાયણ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિ રવિવારે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
મકર સંક્રાંતિને કેમ કહેવાય છે સૂર્ય ઉત્તરાયણ
મકર સંક્રાંતિએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સૂર્યની ગતિ દક્ષિણ તરફથી ઉત્તર તરફ થાય છે તો તેને ઉત્તરાયણ અને જ્યારે ઉત્તર તરફથી દક્ષિણ તરફ થાય છે તો તેને દક્ષિણાયણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્ય ઉત્તરાયણ કાળને અતિ શુભ માનવામાં આવ્યો છે. સૂર્ય જ્યારે મકર, કુંભ, વૃષભ, મીન, મેષ અને મિથુન રાશિમાં હોય છે તો તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.
શ્રીકૃષ્ણએ જણાવ્યું ઉત્તરાયણનુ મહત્વ
ગીતાના આઠમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સૂર્ય ઉત્તરાયણના મહત્વનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શ્રીકૃષ્ણ કહે છે, હે ભરતશ્રેષ્ઠ ! એવા લોકો જેમને બ્રહ્મનો બોધ થઇ ગયો હોય. અગ્નિમય જ્યોતિ દેવતાના પ્રભાવથી જ્યારે છ મહિના સૂર્ય ઉત્તરાયણ હોય છે, દિવસના પ્રકાશમાં પોતાનુ શરીર ત્યાગે છે, ફરીથી જન્મ લેવો પડતો નથી. એવા યોગી જે રાત્રિના અંધકારમાં, કૃષ્ણપક્ષમાં અને ધુમ્રદેવતાના પ્રભાવથી દક્ષિણાયનમાં પોતાનુ શરીર ત્યાગે છે, તેઓ ચંદ્ર લોકમાં જઇને ફરીથી જન્મ લે છે. તો વેદ શાસ્ત્રો મુજબ, પ્રકાશમાં પોતાનુ શરીર ત્યાગનારા વ્યક્તિઓને ફરીથી જન્મ લેવો પડતો નથી. જ્યારે અંધારામાં મૃત્યુને પ્રાપ્ત કરનારો વ્યક્તિ ફરીથી જન્મ લે છે. અહીં પ્રકાશ અને અંધકારનો અર્થ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન સાથે છે. આ જ કારણ છે કે સૂર્યના ઉત્તરાયણના મહત્વના કારણે ભીષ્મએ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિ એટલેકે સૂર્ય ઉત્તરાયણના દિવસને પસંદ કર્યો હતો. છાંદોગ્ય ઉપનિષદમાં પણ સૂર્ય ઉત્તરાયણના મહત્વનું વર્ણન મળે છે.