આ વર્ષે મકર સંક્રાંતિ રવિવારે 15 જાન્યુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે. જ્યોતિષ મુજબ આ દિવસ ઘણા ખાસ યોગ અને નક્ષત્ર પણ બની રહ્યાં છે, જેમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન, પુણ્ય અને પૂજા-પાઠ કરવામાં આવશે.
આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ મનાવાશે
આ દિવસે ઘણા ખાસ યોગ અને નક્ષત્ર બની રહ્યાં છે
આ દિવસે સ્નાન, દાન, પુણ્ય કરવામાં આવશે
મકરસંક્રાંતિ 2023 તિથિ અને શુભ મુહૂર્ત
આમ તો દર વર્ષે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનુ પર્વ મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે એટલેકે 2023માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે. કારણકે સૂર્ય દેવનુ મકર રાશિમાં ગોચર 14 જાન્યુઆરીની રાત્રે 8.43 મિનિટ પર થશે અને ઉદયાતિથિ મુજબ આગામી દિવસે 15 જાન્યુઆરી 2023ના રોજ મકરસંક્રાંતિ મનાાવવામાં આવશે.
મકરસંક્રાંતિએ બની રહ્યો છે ખાસ સંયોગ
15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો પુણ્ય કાળ રહેશે, જેમાં સૂર્યોદયથી લઇને આખો દિવસ દાન પુણ્ય વગેરે કરી શકાય. આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય, શનિ અને શુક્ર મકર રાશિમાં રહેશે. જેનાથી ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે.
આ શુભ યોગથી અનેક લોકોનુ ભાગ્ય ચમકશે
આ સાથે ચિત્રા નક્ષત્ર, શશ યોગ, સુકર્મા યોગ, વાશી યોગ, સુનફા યોગ અને બાલવ કરણ યોગ બનશે. આ શુભ યોગથી ઘણા લોકોનુ ભાગ્ય ચમકશે એટલેકે ઘણી રાશિના જાતકોને તેનો લાભ મળશે. આ યોગમાં જો શુભ કાર્ય, દાન, પુણ્ય, તીર્થ યાત્રા, ભાગવત મહાપુરાણ વગેરે કરવામાં આવે તો ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી શકે છે.
સૂર્ય પૂજન રવિવારે ગણાય છે શ્રેષ્ઠ
અગ્નિ પુરાણની માન્યતા મુજબ સૂર્યનુ પૂજન રવિવારના દિવસે શિવલિંગની સાથે સંયુક્ત રીતે પૂજન કરવાથી સંતાનના બૌદ્ધિક અનુકૂળતા માટે શ્રેષ્ઠ જણાવવામાં આવ્યું છે. કારણકે આ દિવસે સૂર્ય પૂજન તથા ભગવાન શિવનો અભિષેક વિશેષ રીતે કરવો જોઈએ.