મકર સંક્રાંતિ હિંદુઓનો સૌથી શુભ દિવસોમાંનો એક છે. દેશના દરેક ભાગમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. દેશભરમાં લોકો મકર સંક્રાંતિના શુભ અવસરે નદીઓમાં સ્નાન કરે છે. આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. આ પર્વને ક્યાંક ઉતરાયણના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે.
ઉતરાયણના દિવસથી શરૂ થશે સારા કામ
સ્નાનનું આ દિવસે છે ખાસ મહત્વ
ભૂલથી પણ આ 10 કામ ન કરશો
મકર સંક્રાંતિના દિવસે કરેલા જાપ અને દાનનું ફળ અનેક ગણું હોય છે. સૂર્ય અને શનિનો સંબંધ આ તહેવાર સાથે હોવાના કારણે આ મહત્વનું છે. કહેવાય છે કે આ તહેવાર પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા આવે છે. સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે. આ માટે અહીંથી સારા કામની શરૂઆત થાય છે.
આજથી ન કરશો આ કામ
કેટલાક લોકો સવારે ઉઠતાં જ ચા અને નાસ્તો ખાવાનું શરૂ કરી દે છે, આ દિવસે આ કામ ન કરો. આજના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું. ગંગા કે અન્ય કોઈ નદીમાં જઈને સ્નાન કરવું. જો તે શક્ય ન હોય તો ઘરે પણ સ્નાન કરવું.
મકર સંક્રાંતિ પ્રકૃતિની સાથે તહેવાર મનાવવાનું પર્વ છે. આ દિવસે ઘરની અંદર કે બહાર કોઈ ઝાડને કાપવું નહીં.
આજના દિવસે કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવું. દારૂ, સિગરેટ, ગુટખાના સેવનથી બચો. આ દિવસે મસાલેદાર ભોજનનું સેવન કરવું નહીં. તલ, મગની દાળની ખીચડી વગેરે ખાવા. આ દરેક ચીજોનું યથાશક્તિ દાન કરવું જોઈએ.
જો તમે સૂર્યદેવની કૃપા ઈચ્છો છો તો સંધ્યાકાળના સમયે અન્નનું સેવન કરો. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા પાઠ કરો.
મકર સંક્રાંતિના દિવસે ગાય કે ભેંસનું દૂધ દોહવું જોઈએ નહીં.
મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ ભિખારી, સાધુ કે વૃદ્ધ વ્યક્તિ આવી ચઢે તો તે ખાલી હાથે પાછું ન જાય તેનું ધ્યાન રાખવું. જો તમારા સામર્થ્ય અનુસાર કંઈને કંઈ દાન અવશ્ય કરો.
આ દિવસે ભૂલથી પણ લસણ, ડુંગળી અને માંસનું સેવન કરવું નહીં. મકર સંક્રાંતિનું પર્વ સાદગીની સાથે ઉજવવું જોઈએ. ભોજનમાં પણ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ.
આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ છે. આ દિવસે પાકને કાપવાનું પણ ટાળવું જોઈએ.
મકર સંક્રાંતિને માટે પોતાની વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. કોઈને ખોટું ન કહો અને સાથે મધુરતા ભર્યો વ્યવહાર કરો.
સૂર્યને જળ ચઢાવો. આ માટે સ્ટીલ, પ્લાસ્ટિક કે લોખંડના વાસણના પાત્રનો ઉપયોગ કરો. આ સિવાય આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો.