પંજાબમાં AAP નું ઝાડુ એવું ફરી વળ્યું છે કે મોટાં મોટાં નેતાઓના રાજકીય કારકિર્દી ખતમ થવાને આરે આવી ગઈ છે. જેમાં પૂર્વ CM અને વર્તમાન CM સહિતના મહારથીઓ સામેલ છે.
પંજાબમાં દિગ્ગજો ચૂંટણી હારે તેવી શક્યતા
CM રાજીનામુ આપે તેવી શક્યતા
નવજોત સિંઘ સિદ્ધુ પણ પાછળ
Punjab Election Results
પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણમાં, આમ આદમી પાર્ટી મોટી લીડ મેળવતી દેખાઈ રહી છે, જ્યારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સહિત રાજ્યના દિગ્ગજ નેતાઓ હાલમાં પોતપોતાની બેઠકો પરથી પાછળ ચાલી રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હાર્યા
પંજાબમાં પટિયાલા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ચૂંટણી હાર્યા હોવાથી મોટો અપસેટ સર્જાયો છે.
શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ લંબી વિધાનસભા બેઠક પર, ભદૌર અને ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની, પટિયાલા અર્બન બેઠક પરથી કેપ્ટન અમરિંદર સિંહ અને અમૃતસર પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ મત ગણતરીમાં પાછળ ચાલી રહી છે.
મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની આપી શકે રાજીનામું
મતગણતરી વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની રાજીનામું આપી શકે છે. ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચ્યા છે. ટુંક સમયમાં જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી શકે છે. ચરણજીત સિંહ ચન્ની પોતે બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા હોવાથી તેમના રાજીનામાની ચર્ચા પણ એક સમયે ઉઠી હતી.
સિદ્ધુએ સ્વીકારી હાર
પંજાબ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુએ પણ હાર સ્વીકારતા ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે, પંજાબની જનતાના જનાદેશને સ્વીકારું છું અને AAPને અભિનંદન પાઠવું છું.
પરિણામો
AAP બનાવશે સરકાર ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર બનશે
એક્ઝિટ પોલ્સ અનુસાર, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) મુખ્ય દાવેદાર તરીકે ઉભરી રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે સખત લડત આપી રહી છે. પણ ઘણું ખરું સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબમાં ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર બનશે.
ચૂંટણીના પરિણામો સીઇઓ પંજાબની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેમજ મતદાર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન પરથી પણ પરિણામો મેળવી શકાશે.
ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ સમાચાર લખાય છે ત્યાં સુધી, Punjab Election Results ના પ્રારંભિક વલણમાં, આમ આદમી પાર્ટી (AAP) પંજાબમાં 59નો બહુમતીનો આંકડો પાર કરીને 64 બેઠકો પર આગળ છે. બીજી તરફ કોંગ્રેસ 8, શિરોમણી ગઠબંધન 5 અને ભાજપ ગઠબંધન 3 બેઠકો પર આગળ છે.
મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા
મુખ્ય ચૂંટણી અધિકારી એસ. કરુણા રાજુએ ચંદીગઢમાં મીડિયાને જણાવ્યું કે 66 સ્થળોએ 117 કેન્દ્રો પર સવારે 8 વાગ્યે એક સાથે મત ગણતરી શરૂ થઈ. તેમણે કહ્યું કે તમામ મતગણતરી કેન્દ્રો પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) ની 45 કંપનીઓ તૈનાત સાથે ત્રણ-સ્તરીય સુરક્ષા પગલાં મૂકવામાં આવ્યા છે. રાજ્યભરમાં 7,500 કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
पंजाब के लोगों ने केजरीवाल मॉडल ऑफ गवर्नेंस को एक मौका दिया है।आज पूरे देश में ये स्पष्ट हो गया है कि लोग सोचते हैं कि अगर केजरीवाल होंगे तो ईमानदारी से व्यापार, रोज़गार, शिक्षा, स्वास्थ्य सेवा मिल सकती है: आम आदमी पार्टी नेता व दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया pic.twitter.com/aW6MfOFhNl
પંજાબે કેજરીવાલ શાસન મોડલને આપી તક, 'આમ આદમી'ની જીતઃ AAP નેતા મનીષ સિસોદીયા
દિલ્હીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમે ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ક્યાંક પંજાબ પર ફોકસ હતું. ધીરે ધીરે આ રાજ્યોના લોકો પણ અમારી પાર્ટીમાં વિશ્વાસ કરવા લાગશે. પંજાબે કેજરીવાલના શાસન મોડલને તક આપી છે. આજે તેમના શાસનનું મોડેલ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયું છે. આ 'આમ આદમી' (સામાન્ય માણસ)ની જીત છે.