નાસિકથી 20 કિમી દૂર લાહવિત અને દેવસાસીની વચ્ચે 11061 પવન એક્સપ્રેસના અમુક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.
નાસિકની નજીક રેલ દુર્ઘટના થઈ
પાટા પરથી ટ્રેન ઉતરી ગઈ
3 લોકો થયા ગંભીર રીતે ઘાયલ
નાસિકથી 20 કિમી દૂર લાહવિત અને દેવસાસીની વચ્ચે 11061 પવન એક્સપ્રેસના અમુક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. પાટા પાસેથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે, પણ મધ્ય રેલ્વેના પીઆરઓનુ કહેવુ છે કે, તે પેસેન્જર નહોતો. ટ્રેક પર મૃતદેહ પહેલાથી જ પડ્યો હતો.
#UPDATE | 2 minor injuries in train derailment in Nashik. Both given primary treatment, not required to be hospitalised. No one else is reported to be injured, no deaths either. One body found near tracks is not of a passenger, & is believed to be there before derailment: CPRO CR pic.twitter.com/tFcqMzB38j
આ ઘટના બાદ મધ્ય રેલ્વેએ ઘટનાસ્થળે રાહત ટ્રેન અને મેડિકલ વાન મોકલી દીધી છે. આ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી જયનગર (દરભંગા ) ઝઈ રહી હતી. સૌથી વધારે નુકસાન A1 B2 ડબ્બાને થયું છે. કહેવાય છે કે, આ દુર્ઘટનાવાળી જગ્યા પહાડી વિસ્તારમાં વણાંકવાળી છે. જ્યાં પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા.
11 coaches of LTT-Jaynagar Pawan Express derail in Maharashtra
રેલ મંત્રાલયના કાર્યકારી ડાયરેક્ટર ગૌરવ કૃષ્ણ બંસલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અમનુક લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો આવી રહી છે. હાલમાં તો કોઈ મોતના સમાચાર મળ્યા નથી. રેલ્વેની LHB કોચ ટેક્નોલોજીતી દુર્ઘટનામાં જાન માલના નુકસાનને બચાવી શક્યા છે. આ અગાઉ ઘટનાસ્થળેથી એક મૃતદેહ મળ્યો હોવાની પણ વિગતો મળી છે. રેલ્વેના પીઆરઓનું કહેવુ છે કે, આ મૃતદેહ પહેલાથી જ ટ્રેક પર પડ્યો હતો.