જમ્મુ કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરની છે. હિમસ્ખલન થવાના કારણે સેનાના કેટલાક જવાનો ત્યાં ફસાઈ ગયા છે. ત્રણ જવાનો શહીદ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખલનને કારણે ત્રણ જવાનો શહીદ
શિયાળામાં હિમસ્ખલનનું જોખમ વધી જાય છે
હિમસ્ખલનમાં 56 રાષ્ટ્રીય રાયફલનાં જવાનો થયા શહીદ
જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા જીલ્લાના માછિલ સેક્ટરની છે. જેમાં ફરજ દરમ્યાન જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનો 56 રાષ્ટ્રીય રાયફલના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે જવાનોનાં પાર્થિવ દેહને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. શહીર થયેલા જવાનોની ઓળખ હાલમાં તો થઈ શકી નથી.
મળતી માહિતી મુજબ ત્રણ જવાનોનું પોસ્ટીંગ માછિલ સેક્ટરમાં અલમોરા પોસ્ટ પાસે હતી. ત્યારે તેઓ હિમસ્ખલનનો ભોગ બન્યા. પોલીસે જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ કે આ ઘટનામાં સેનાના ત્રણ જવાનો શહીદ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે ત્રણેય જવાને 56 રાષ્ટ્રીય રાયફલનાં છે. તેમજ તેમનો તમામ સામાન અને તેઓનામ મૃતદેહ મળી ગયા છે. એક અધિકારીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે જવાનો ફરજ પર હતા. જ્યારે હિમસ્ખલન થયું ત્યારે તેઓ તેની નીચે દબાઈ ગયા હતા અને નિકળી શક્યા ન હતા. આ ઘટના નોર્થ કાશ્મીરના કુપવાડાની છે.
एक दुर्भाग्यपूर्ण घटना में माछिल इलाके में ड्यूटी के दौरान हिमस्खलन की चपेट में आने से 56 आरआर के 3 जवानों की मौत हो गई। सभी शवों को निकाल लिया गया है: कुपवाड़ा पुलिस
શિયાળાની સીઝનમાં હિમ સ્ખલનની ઘટનાઓ વધી જાય છે. ત્યારે હિમવર્ષાને કારણે મુશ્કેલીઓ વધી જાયે છે. એવામાં સેનાના જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હિમવર્ષા પર સેનાના સૈનિકોએ સતર્ક રહેવું પડે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કુપવાડાનાં મછિલ સેક્ટરમાં શિયાળાની સીઝનમાં હિમસ્ખલનની ઘટનાઓ વધી જાય છે. જાન્યુઆરી મહિનામાં હિમસ્ખલનનું જોખમ વધી જાય છે. આવી જ એક ઘટનામાં માછિલ સેક્ટરમાં જાન્યુઆરી 2020 માં સેનાના ત્રણ જવાનો શહીદ થઈ ગયા હતા.
અરુણાચલ પ્રદેશમાં સાત જવાનો શહીદ થયા હતા
રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. આ ઘટના આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે સેનાના સાત જવાન શહીદ થયા હતા. રિપોર્ટ અનુસાર, હિમપ્રપાતમાં માર્યા ગયેલા જવાનોની ઓળખ હવાલદાર જુગલ કિશોર, રાઈફલમેન અરુણ કટ્ટલ, રાઈફલમેન અક્ષય પઠાનિયા, રાઈફલમેન વિશાલ શર્મા, રાઈફલમેન રાકેશ સિંહ, રાઈફલમેન અંકેશ ભારદ્વાજ અને જનરલ ગુરબાજ સિંહ તરીકે થઈ છે.