ઓમિક્રોનને શોધનાર ડોક્ટરે જણાવ્યું કે કોરોનાની બન્ન રસી લેનારા તથા બાળકોમાં પણ ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે .
ઓમિક્રોનને લઈને આ સમયે દુનિયાભરમાં ભય વ્યાપ્યો
એવું ન કહી શકીએ કે જેનું રસીકરણ થઈ ચૂક્યું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત નહીં થઈ શકે- ડો. એન્જેલિક
ઓમિક્રોન આ બાળકોને સંક્રમિત કરી રહ્યો છે.
ઓમિક્રોનને લઈને આ સમયે દુનિયાભરમાં ભય વ્યાપ્યો
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને આ સમયે દુનિયાભરમાં ભય વ્યાપ્યો છે. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિક આ સમય વાયરસના નેચરને લઈને અધ્યયન કરવામાં લાગેલા છે. આ દરમિયાન ઓમિક્રોને શોધનારી દક્ષિણ આફ્રીકાની ડો. એલેજિક કોએત્જીએ વાયરસને લઈને મોટો ખુલાસો કર્યો છે. ડો. કોએત્જીએ જણાવ્યું કે ઓમિક્રોનથી ગ્રસ્ત દર્દીઓમાં શું લક્ષણ હોય છે. અને તે એક માણસના શરીરમાં કેવી રીતે અસર કરે છે.
એવું ન કહી શકીએ કે જેનું રસીકરણ થઈ ચૂક્યું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત નહીં થઈ શકે- ડો. એન્જેલિક
એન ન્યૂઝ ચેનલના ઈન્ટર્વ્યૂહમાં ડો. એન્જેલિક કોએત્જીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે એવું ન કહી શકીએ કે જેનું રસીકરણ થઈ ચૂક્યું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત નહીં થઈ શકે કેમ કે દ. આફ્રિકામાં રસીકરણની સાથે સાથે રસીકરણ વાળા બન્ને લોકો પણ કોરોનાના નવા વેરિએન્ટથી ગ્રસ્ત જોવા મળ્યા છે. જોકે તેમનામાં હળવા લક્ષણો છે.
આ બાળકોને સંક્રમિત કરી રહ્યો છે
ડોક્ટર કોએત્જીને કહ્યું કે જે લોકોને રસી નથી અપાઈ તેમનામાં આ વેરિએન્ટ સતત ફેલાઈ રહ્યો છે અને પોઝિટિવ રેટ 16.5 ટકા છે. કોએત્જીની એક વાતે તમને ચિંતામાં નાંખી દીધા છે કે જ્યાં વાયરસના પહેલા -બીજા વેરિએન્ટ બાળકોને સંક્રમિત નહોતા કરી રહ્યા પણ આ બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. તેમજ કેટલાક મામલા એવા સામે આવ્યા છે કે જેમાં રસીકરણ થઈ ચૂક્યું છે. ડો. એન્જેલિકે કહ્યું કે તેની દૈનિક તસવીરને યોગ્ય રીતે ન દર્શાવી શકાય પણ આના લક્ષણો ખુબ હળવા હોય છે. ઓક્સિજનની જરુર નથી પડતી. પણ લોકો કોરોના ટેસ્ટ માટે જઈ રહ્યા છે.