જો તમે પાલકનું સેવન કરો છો તો તમને તેનાથી થતા નુકસાન વિશે પણ જાણી લેવું જોઈએ.
ન કરો પાલકનું વધારે પડતું સેવન
થઈ શકે છે નુકસાનકારક
આ ગંભીર રોગના થઈ શકો છો શિકાર
મોટાભાગના લોકો પાલકને પોતાની ડાયેટમાં શામેલ કરે છે. તેને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે. પરંતુ અમુક સમસ્યાઓમાં તમને પાલકનું સેવન કરવાથી બચવું જોઈએ. એક્સપર્ટ્સ અનુસાર પાલકનું ઓવરડોઝ પણ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોઈ શકે છે.
કિડની સ્ટોનની સમસ્યામાં ન ખાઓ પાલક
કિડની સ્ટોનની સમસ્યામાં પાલકનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. પાલક ખાવાથી શરીરમાં વધારે ઓક્સેલિક એસિડ બને છે. એવામાં શરીર માટે માટે તેને સિસ્ટમથી બહાર કાઢવું મુશ્કેલ થઈ શકે છે. તેનાથી કિડનીમાં કેલ્શિયમ ઓક્સાલેટ જમા થવા લાગે છે જે કિડની સ્ટોનની સમસ્યાને વધારી શકે છે.
સાંધામાં દુખાવાની સમસ્યા
ઓક્સેલિક એસિડની સાથે પાલકમાં પ્યુરિન પણ હોય છે. જે એક પ્રકારનું સંયોજન છે. આ બન્ને મળીને સંધિવાની સમસ્યાને વધારી શકે છે. જો તમને પહેલાથી સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા છે તો પાલકનું સેવન નુકસાન પહોંચાડી શકે છે.
પાલકમાં ભરપૂર માત્રામાં વિટામિન હોવાના કારણે તે લોહીને પાતળુ કરનાર દવાની સાથે રિએક્ટ કરે છે. માટે જો તમે લોહી પાતળુ કરવાની દવા લઈ રહ્યા છો, ડાયાબિટિસના દર્દી છો અથવા તમને કિડની સ્ટોનની સમસ્યા છે તો પાલકનું સેવન કરી શકો છો.
પાલકનું વધુ સેવન કરવાથી શું થાય છે?
એક્સપર્ટ્સ અનુસાર, જરૂરથી વધારે માત્રામાં કોઈ પણ ભોજન સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરે છે. પાલકનું સેવન પણ તમને સીમિત માત્રામાં જ કરવું જોઈએ. વધારે પ્રમાણમાં તેનું સેવન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.
પાલકમાં રહેલા ઓક્સેલિક એસિડ પાંદડામાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. જ્યારે શરીરમાં આ સંયોજનની માત્રા સામાન્યથી વધારે થઈ જાય તો તે શરીરમાં રહેલા અન્ય મિનરલ્સને અવશોષિત કરવાની ક્ષમતાને પ્રભાવિત કરવા લાગે છે. જેનાથી શરીરમાં મિનરલની કમી થવા લાગે છે.
શરીર પર ઝેરી પ્રભાવ
વધુ માત્રામાં પાલકનું સેવન શરીર પર ઝેરી પ્રભાવ નાખી શકે છે. પાલકમાં ફાઈબર ખૂબ વધારે માત્રામાં મળી આવે છે. હાઈ ફાઈબર હોવાના કારણે વધુ માત્રામાં તેને ખાવાથી પેટમાં ગેસ, સોજાની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત લીલા શાકભાજીમાં હિસ્ટામાઈન હોય છે. અમુક કેસમાં તેની એલર્જીની સમસ્યા થઈ શકે છે.