મોરબી અને વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટો ખુલાસો, ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી મામલે બદલાની ભાવનાથી કરાયું હતું કૃત્ય
મોરબી અને વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો
રેલવે પોલીસની તપાસમાં ઘટસ્ફોટ
ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીથી નારાજ હતા આરોપીઓ
ગઈ 12 જુનના રોજ વાંકાનેરથી મોરબી જતો મેમુ ટ્રેનનો ટ્રેક છે તેને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જે મામલે પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. UP માં બુલડોઝર કાર્યવાહીમાં બદલાની ભાવનાથી કૃત્ય કર્યું હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે.ટ્રેક પર ઇટો મુકીને ટ્રેન ઉથલાવી આરોપીઑ સબક શિખવાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. રેલવે પોલીસની તપાસમાં સત્ય બહાર આવતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે.
UPનો બદલો લેવા ગુજરાતમાં મોટું કાંડ, મોટી જાનહાનિ થતાં રહી ગઈ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2022
તપાસ બાદ પોલીસે કર્યા મોટા ખુલાસા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ બંને વાંકાનેરના લોકલ છે. એક મુસ્લિમ ધર્મ પાળે છે અન્ય તેની સાથે કામ કરે છે તે કોળી છે. ટીવી અને સોશિયલ મીડિયા UPમાં થતી બુલડોઝર કાર્યવાહીને જોતાં તેમણે એવું લાગ્યું કે હવે કઈંક કરવું પડશે. જે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો તે ગઈ ત્યારે ટ્રેક વ્યવસ્થિત હતો પણ પરત 3:30 વાગ્યે ફરી ત્યારે પથ્થર હતા. 2 કલાકના ગાળામાં પથ્થર ગોઠવવામાં આવ્યા હતા
150થી વધુ આરોપીઓની પૂછપરછ કરતાં મળી હતી બાતમી
પોલીસે અલગ અલગ ટીમો બનાવી 150થી વધુ આરોપીઓની પૂછપરછ કરી હતી. જેમાં બાતમીને આધારે આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં ઉપરોક્ત ખુલાસા થયા છે. રેલવે આ મામલે જાતે જ તપાસ કરી 10 દિવસના ગાળામાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકલ્યો છે કોઈ એજન્સીનો સહારો લીધો નથી. રેલવે પોલીસ SOG અને LCBએ ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપી અકબર ઉર્ફે હકોએ લક્ષ્મણ મગનભાઈ ઈશોરાને રૂપિયા આપી ઈંટો ગોઠવવા માટે રાજી કરેલો, રાત્રીના સમયે ઈંટો ગોઠવી ટ્રેન ઊથલાવવાનું કાવતરું કર્યું હતું. ફરજ પરના એંજિનિયરે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરતાં રેલવે એક્ટ 150-એ મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.