તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોટા આદેશો આપવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે જે જિલ્લાઓમાં પોઝિટીવીટી રેટ 5 ટકાથી વધારે છે ત્યા જાહેર સભા નહી યોજાય
સંક્રમણ કાબૂમાં રાખવા કેન્દ્રએ ભર્યુ મોટું પગલું
સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા મોટા આદેશ
જાહેર સભામાં મર્યાદિત લોકો એકઠા થવાના આપ્યા આદેશ
આગામી તહેવારોને લઈને કોરોના સંક્રમણનો લોકોમાં ભય ફેલાયેલો છે. સાથેજ દેશમાં ત્રીજી લહેરને લઈને પણ ભયનો માહોલલ ફેલાયેલો છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વાકા તમામ રાજ્યોને તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી આદેશો આપવામાં આવ્યા છે.
મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવા પડશે
નવી ગાઈડલાઈન પ્રમાણે જે પણ વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન આવેલા છે. સાથેજ જે પણ જિલ્લાઓમાં પોઝિટીવીટી રેટ 5 કરતા વધારે છે. તેવા જિલ્લાઓમાં સામૂહિક સભા ન યોજવા માટે આદેશ આપ્યા છે. જ્યારે 5 ટકા કરતા ઓછા પોઝિટીવીટી વાળા રાજ્યોમાં સબા યોજના પહેલા પરવાનગી લેવી પડશે સાથેજ મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવા પડશે.
દરેક રાજ્ય પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચાંપતી નજર
સમગ્ર મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દરેક રાજ્યોમાં અઠવાડિક સંક્રમણનું પ્રમાણ નોંધીને પ્રતિબંધો લગાવામાં આવશે. જેથી દરેક રાજ્યોમાં હવે સંક્રમણને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય નજર રાખશે. સરકારે કહ્યું કે લોકોને યાત્રા કરતા રોકવા જોઈએ તેમજ મળવા પર પણ રોક લગાવી જોઈએ.
24 કલાકમાં 248 લોકોના મોત
નવા આદેશો પ્રમાણે સભાઓમાં મર્યાદિત સંખ્યા રાખવાનું કડક પાલન કરવું પડશે. છેલ્લા 25 કલાકમાં દેશમાં 19,740 જેટલા કેસ નોંધાયા છે. જોકે દિવસેને દિવસે હવે એક્ટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે દેશમાં 248 લોકોના મોત થયા છે. જે હજુ પણ એક ચિંતાનો વિષય કહી શકાય.
દેશમાં 94 ટકા લોકો વેક્સિનેટેડ
ઉલ્લેખનીય ચે કે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાં 94 કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ચુક્યું છે. સાથેજ દેશમાં રિકવરી રેટ પણ 98 ટકા પહોચ્યો છે. જે માર્ચ 2020 સુધીનો સૌથી વધારે રિકવરી રેટ છે. ધીરે ધીરે પરિસ્થિતી કાબૂમાં આવી રહી છે. પરંતુ હજુ પણ લોકોના મનમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.