નકસલીઓએ છત્તીસગઢ- ઓડિશા બોર્ડર પાસે CRPFની ટૂકડી પર મોટો હુમલો કર્યો હતો જેમાં 3 જવાન શહીદ થયા હતા.
દેશમાં નકસલીઓ માથુ ઉંચક્યું
ઓડિશામાં CRPF ટુકડી પર કર્યો હુમલો
3 જવાન શહીદ, અનેક ઘાયલ
CRPF જવાનો રસ્તા નિર્માણના કામમાં કરી રહ્યાં હતા મદદ
ત્યારે નકસલીઓએ ઘાત લગાવીને કર્યો હુમલો
દેશની અંદરના દુશ્મનો ફરી એક વાર ત્રાટક્યાં છે અને દેશના જાંબાઝ જવાનો પર હુમલો કરીને કાયરતા દર્શાવી છે. નકસલીઓએ છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં સીઆરપીએફ રોડ ઓપનિંગ પાર્ટી પર મોટો હુમલો કર્યો હતો જેમાં ત્રણ જવાન શહીદ થયા તથા ઘણા જવાનો ઘાયલ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ હુમલો સીઆરપીએફની 19 બટાલિયનની આરઓપી પાર્ટી પર કરવામાં આવ્યો છે.
Odisha | Three Central Reserve Police Force (CRPF) personnel were killed in a Maoist attack in Odisha's Nuapada district, today. They were part of a road opening party when they came under attack around: CRPF
જાણકારી મુજબ મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યે સીઆરપીએફની ટીમ ઓરિસ્સાના નૌપાડા જિલ્લામાં રોડ નિર્માણના કામ પર કામ કરી રહેલા લોકોને સુરક્ષા આપવા માટે રવાના થઈ હતી. પરંતુ આ હુમલામાં બેઠેલા નક્સલીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.
Odisha | ...they came under attack around 2.30 pm, today: CRPF
ઉલ્લેખનીય છે કે દેશના સાતથી આઠ રાજ્યોમાં નકસલી કેર છે અને તેઓ અવારનવાર સીઆરપીએફ જવાનોને નિશાન બનાવતા હોય છે.
2021માં નકસલી હુમલામાં 22 જવાન શહીદ થયા હતા
આ પહેલા છત્તીસગઢમાં એક વર્ષ પહેલા બીજાપુરમાં નક્સલીઓએ એક વાર સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. ત્યારે 200થી 300 નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોના જવાનો નક્સલી કમાન્ડર હિડમાને પકડવા ગયા હતા. પરંતુ આ હુમલામાં બેઠેલા નક્સલીઓએ જવાનો પર ત્રણ તરફથી હુમલો કરી દીધો હતો. નક્સલીઓએ ગોળીઓ પણ ચલાવી હતી, રોકેટ લોન્ચર પણ છોડ્યા હતા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.