દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગત મોડી રાતે ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગતાં 1500 જેટલી ઝુંપડીઓ સળગીને ખાખ થઇ ગઇ છે જેને લઇને હજારો લોકો બેઘર બની ગયા છે. જો કે આ દૂર્ઘટનામાં હજુ સુધી કોઇ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યાં અનુસાર, આગ લાગવાની સુચના મોડી રાતે 12 વાગ્યાની આસપાસ મળી હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની 28 ગાડીઓ આગ લાગવાની ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં 2 એકડ વિસ્તારમાં ફેલાયેલી જોવા મળી હતી.
પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઝૂંપડીઓમાં રહેતા લોકોને સમયાનુસાર બહાર નિકાળી દીધા હતા. ઝુંપડપટ્ટીમાં મોડી રાતે આગ લાગી ત્યારે લોકો ઉંઘી રહ્યાં હતા. જો કે હજુ સુધી આ દૂર્ઘટનામાં કોઇને ઇજા થઇ હોવાના કોઇ અહેવાલ મળ્યાં નથી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારે આગપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં અંદાજે 1500 ઝુંપડીઓ સળગીને ખાખ થઇ ગઇ હતી અને હજારો લોકો બેઘર થઇ ગયા હતા. હાલમાં રાજ્ય સરકાર નુકસાનને લઇને સમીક્ષા કરી રહી છે.
Delhi: A fire has broken out at Tughlakabad slums. Rajendra Prasad Meena, DCP South East says, "We received information of fire at around 1 am, 18-20 fire tenders are at the spot. Firefighting operations underway. No casualty reported so far". pic.twitter.com/9ny3HpHAAZ
દક્ષિણ પૂર્વી દિલ્હીના ડીસીપી રાજેન્દ્ર પ્રસાણ મીણાએ વાતચીતમાં જણાવ્યું કે અમને રાતે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની સૂચના મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 18-20 ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવામાં આવી હતી. જો કે હાલમાં કોઇને ઇજા પહોંચીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.