ઉનાળાની શરૂઆત પહેલા જ આગ લાગવાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સુરતના તક્ષશિલા બિલ્ડિંગની આગની ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઇ નથી ત્યાં બીજી અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે શનિવારે અમદાવાદની એક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા 3 લોકોના મોત નિપજ્યા હતા.
અમદાવાદના ઓઢવમાં આગ
પેટ્રોલ પંપ પાસેની ફેક્ટરીમાં આગ
આગમાં ત્રણ લોકોનાં મોત
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવમાં પેટ્રોલ પંપ પાસે આવેલી ફેકટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આગની ઘટનાની જાણ થતાં 13 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા કવાયત હાથ ધરી હતી. આગ ફેકટરીના પ્રિન્ટિંગ મશીનમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગેડની 13 ગાડીઓ બોલાવવી પડી
ઓઢવ ફાયર સ્ટેશનની સામે આવેલી લોટસ લેબલ નામની કંપનીમાં શનિવારની સાંજે એકાએક આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ બનાવ અંગેની જાણ નજીકના જ ફાયર સ્ટેશને જાણ થતાં જ ફાયર સ્ટેશનની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.