ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
2022 ચૂંટણી પહેલા ભાજપની કવાયત
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે.
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.
2022 ચૂંટણી પહેલા ભાજપની કવાયત
મહત્વનું છે કે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે તેને ધ્યાનમાં રાખીને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે મહત્વનં છે કે દલસાણિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને સંઘનું પીઠબળ હોવાનાને કારણે તેમને પક્ષમાં મહત્વની જવાબદારી મળી શકે છે.