જમ્મૂ-કાશ્મીર સરહદ પર ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મૂના રાજૌરી સરહદ પર કરેલા ભારતીય સેનાના ફાયરિંગમાં પાચ પાકિસ્તાની જવાનો ઠાર કરાયા છે. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં પાંચ પાકિસ્તાની જવાનો ઠાર કરાયા છે.
રાજૌરી અને પૂંછ વિસ્તારમાં ગત છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉલંધન વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના જવાન ઠાર કરાયા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવા ગામની આસા-પાસ પાકિસ્તાનના સૈનિકો ઠાર મરાયા છે. તેની સાથે પાકિસ્તાનની કેટલીક પોસ્ટને પણ નષ્ટ કરી દેવામાં આવી છે. ખરેખર પાકિસ્તાને આ વિસ્તારમાં NLI Unit તૈનાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાના કારાસ્તાનથી ઉંચુ આવતુ નથી. સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીને લઇને વારંવાર ફાયરિંગ કરતું રહે છે. આ વખતે ભારત દ્વારા પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મૂ-કાશ્મીરની સરહદ પર રહેનારા લોકોની પરેશાની ઘટાડવા માટે 14 460 બંકરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે.