ભરુચ અને જામનગરમાં અકસ્માતે મોતના બે કિસ્સામાં 5 લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને સનસનાટી મચી ગઇ છે.
ભરૂચમાં અકસ્માતમાં 3ના મૃત્યુ
ભરૂચના નબીપુર પાસે દુર્ઘટના
ટ્રક પાછળ ટ્રક, બસ અને વાન ટકરાઈ
ભરૂચ અને જામનગર પંથકમાં ડુબવા અને અકસ્માતની બે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 5 લોકો કાળનો કોળિયો બની જતાં પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. બીજી તરફ આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી આગળ ધપાવી હતી.
ટ્રક પાછળ ટ્રક, બસ અને વાન ટકરાઈ
અકસ્માત અંગે ભરૂચમાં નેશનલ હાઈવે આજે રક્તરંજિત બન્યો હતો. જેમાં ભરૂચમાં નબીપુર પાસે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ટ્રક પાછળ અન્ય ટ્રક, બસ અને વાન ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાહનમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા વાનમાં સવાર ત્રણ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા નિપજ્યાં હતા. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા મૃતકના પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે. આ મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
લાલપુરના રીજપર ગામે કરુણાંતિકા
વધુમાં જામનગર જિલ્લાના લાલપુરના રીજપર ગામે એક કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં પથ્થરની ખાણમાં પાણીમાં બે વ્યક્તિઓ પડ્યા હતા. જે ઊંડા ખાડાના જળપ્રવાહમાં ડૂબી ગયા હતા. આ મામલે સ્થાનિક લોકોને જાણ થતા ફાયર વિભાગની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઇને ટીમ દોડી આવી હતી. જ્યાં તપાસ હાથ ધરતા બંનેના મૃતદેહ મળ્યા હતા. આમ માલાભાઈ ખરા અને નારુભાઈ ખરા નામના બંને વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.