બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:38 PM, 11 January 2025
યુપીના કન્નોજ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિલ્ડિંગનો બીમ તૂટી પડતાં ઘણા લોકો દટાયાં હતા, દુર્ઘટના બાદ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું જેમાં 6થી વધુ લોકોને બહાર કઢાયાં હતા. કન્નૌજ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ. અહીં સ્ટેશનના બે માળ પર નિર્માણાધીન ટેન્કર અચાનક તૂટી પડ્યું હતું. કાટમાળમાંથી છ મજૂરોને બચાવી લેવાયા છે. બીમ નીચે ઘણા લોકો દટાયાં હતા જેને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલાની માહિતી મળ્યા બાદ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
Uttar Pradesh: A accident occurred at Kannauj railway station when an under-construction lintel collapsed. Six people have been rescued from the debris. The police have reached the site. The accident happened while beautification work was being carried out at the station, and the… pic.twitter.com/MX7FVi6uhU
— IANS (@ians_india) January 11, 2025
બ્યુટિફિકેશનના કામ દરમિયાન આ અકસ્માત
ADVERTISEMENT
રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન આ અકસ્માત થયો હતો. એક મોટું બીમ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેની નીચે કામ કરતાં મજૂરો દટાયાં હતા.
ઘણાના મોતની આશંકા
આ દુર્ઘટનામાં ઘણા મજૂરોના મોત થયાં હોવાની પણ શંકા છે. હાલમાં દટાયેલા લોકોને બહાર કાઢવાાનું ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
યુવાનો માટે રેડ એલર્ટ / હોટલમાં ગર્લફ્રેન્ડ બોલાવી, દારુ સાથે યૌન વર્ધક દવાઓ લેતાં યુવાનનું દર્દનાક મોત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT