ઉત્તર પ્રદેશના મૈનપુરી જનપદના ધિરોર પોલીસ સ્ટેશન અંતર્ગત કોસમા ક્રોસિંગની પાસે રાત્રે જાનૈયા ભરેલી પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈને પલટાઈ ગઈ. ઘટનામાં 18 જાનૈયા ઘાયલ થયા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવા પર મેડિકલ કોલેજ, સફાઈમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે બસમાં 65 લોકો સવાર હતા.
પલટાવા પર 18 લોકો ઘાયલ થયા હતા
6 લોકોની હાલત ગંભીર
બસમાં 65 લોકો સવાર હતા.
મળતી જાણકારી અનુસાર ફિરોજાબાદના ગામમાં નગલા ભૂડ નિવાસી હરેન્દ્ર કુમારની જાનમાં પ્રાઈવેટ બસ ઈટાવાથી નગલા છત્તા ગામ જઈ રહી હતી. રાતે લગભગ 8 વાગે જે બસ ધિરોર સ્ટેશન વિસ્તાર અંતર્ગત કોસમાં ક્રોસિંગની રાસે પુલિયાના મોડ પર અનિયંત્રિત થઈને પલટાઈ ગઈ. ઘટનામાં બસમાં સવાર 18 જાનૈયા ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતુ.
આમાં ગંભીર 6 લોકોની હાલત વધારે ગંભીર હોવા પર જિલ્લા હોસ્પિટલમાંથી મેડિકલ કોલેજ સૈફાઈ રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાયલોને તાત્કાલીક સારવારની સાંત્વના આપી હતી.
ઘટના સ્થળે પહોંચેલી ડીએમ મૈનપુરી મહેન્દ્ર બહાદુરે જણાવ્યું કે આ બસમાં જાનૈયા સવાર હતા અને પલટાવા પર 18 લોકો ઘાયલ થયા હતા, કેટલાક યાત્રી ગંભીર રીતે ઘાયલ છે. જેમને સૈંફઈ માટે રિફર કરવામાં આવ્યા છે.