એક વાર પહેલા જનરલ બિપિન રાવત જ્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને હરાવી પાછા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતુ કે હું પહાડી વ્યક્તિ છું, આટલી ઘટનામાં મરવાનો નથી. પણ આ વખતે એવું ન થયું.
દેશે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે હેલિકોપ્ટર ઘટનામાં ગુમાવી દીધા છે. જનરલ રાવતના 43 વર્ષના લાંબા મિલિટરી કરિયરમાં તેમની સાથે આ કંઈ પહેલી હેલિકોરપ્ટર ઘટના નથી. પરંતું ત્યારે તેમણે મોતને માત આપી હતી. આવી જ એક ઘટના બાદ તેમણે સીનિયરને કહ્યું હતુ કે હું પહાડી વ્યક્તિ છું... આટલી ઘટનામાં મરવાનો નથી. પણ આ વખતે એવું ન થયું.
કાશ આ વખતે પણ તે પાછા આવી જતાં
મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગના પૂર્વ કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ એમજી દાતારે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે જ્યારે આ ઘટનાની મને જાણકારી મળી તો. મને ભરોસો ન થયો કે તે સશુકળ બચી જશે અને એક વાર ફરી તે મોતને માત આપી દેશે. જેવું લગભગ 1 દશકા પહેલા તેમણે કર્યુ હતુ. ત્યારે તે 3 સ્પિયર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા.
જ્યારે એક ઘટના બાદ રાવતે કહ્યું હતુ કે, આટલી નાની ઘટનામાં મરવાનો નથી
લેફ્ટિનેન્ટ જનરલ દાતાર યાદ કરતા કહે છે, દુર્ઘટના બાદ જ્યારે હું રાવતને મળ્યો ત્યારે મે તેમને આ અંગે પુછ્યું તો તેમણે જવાબ આપ્યો કે, ‘સર, હું પહાડી માણસ છું. આટલી નાની ઘટનાથી કંઈ મરવાનો નથી. હું ગોરખા રાઈફલ્સમાં છું. જે પોતાની નિડરતા માટે વખણાય છે. હું ઉત્તરાખંડની પહાડીથી છું. ત્યાના લોકો પોતાની નિડરતા માટે જાણીતા છે.
2015માં ક્રેશ થયું હતુ તેમનું હેલિકોપ્ટર
હકિકતે લગભગ 7 વર્ષ પહેલા 2015માં જનરલ રાવતે હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. જ્યારે તે લેફ્ટિનેન્ટ જનરલ હતા. 3 ફેબ્રુઆરી 2015એ નાગાલેન્ડના દીમાપુરમાં તેમનું ચીતા હેલિકોપ્ટર ઉડાન ભરવા માટે માત્ર 20 સેકન્ડ બાદ ક્રેશ થયુ હતુ. ત્યારે તેમણે હેલિકોપ્ટરમાં સવાર બાકીના લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
સેનામાં લેફ્ટિનેન્ટ જનરલ હતા જનરલ રાવતના પિતા
જનરલ રાવત આર્મી પરિવારથી હતા. તેમના પિતા લેફ્ટિનેન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવત ઉપ સેના પ્રમુખ રહ્યા હતા. વીરોની ભૂમિ ઉત્તરાખંડથી આવનારા રાવતે એક વાર ફરી ઈન્ટરવ્યૂહમાં કહ્યુ હતુ કે ઉત્તરાખંડની માટી અને પાણીમાં કંઈક ખાસ છે.
ઉત્તરાખંડની માટીમાં કંઈક ખાસ છે
ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવતું કે ઉત્તરાખંડની ભૂમિમાં એવું શું છે. જે દેશને આટલા વીર આપે છે. તેમણે કહ્યુ હતુ કે ઉત્તરાખંડની ભૂમિને દેવભૂમિ કહેવામાં આવે છે. એ એટલા માટે કે ત્યાની માટી અને પાણી છે તેમાં દેવતાઓના સ્થાનોમાંથી વહે છે. એટલા માટે કદાચ એ માટીમાં જન્મ્યા છે અને પાણી પીધુ છે તેમના શક્તિ આપ મેળે આવી જાય છે. પરંતુ એ નહીં કહી શકુ કે બાકી દેશવાસી કોઈ રીતે ઉત્તરાખંડના લોકોથી નબળા છે. તમામ દેશવાસી મજબૂત છે. પરંતુ ઉત્તરાખંડની માટી અને પાણીમાં કંઈક ખાસ છે.