મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે રસાકસી ચાલી રહી છે. એવામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ સરકાર ગઠન માટે બાળાસાહેબ ઠાકરેની 1995ની ફોર્મ્યુલા સમજાવી હતી.
મહારાષ્ટ્રમાં સરકારને લઇે ડામાડોળ
શિવસેના પાસે છે 1995ની ફોર્મ્યુલા
25 વર્ષ જૂની ફોર્મ્યુલા અપનાવશે શિવસેના ?
આ યોજના હેઠળ વધુ બેઠક પ્રાપ્ત કરનાર પક્ષના મુખ્યમંત્રી અને ઓછી બેઠકો પ્રાપ્ત કરનારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. એવામાં સવાલ ઉભો થાય છે કે, શિવસેના અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા છોડીને શું 24 વર્ષ જૂની ફોર્મ્યુલાનો સ્વીકાર કરશે.
શું છે 1995ની ફોર્મ્યુલા ?
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ પ્રથમ વખત 1990 માં ઔપચારિક રીતે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ બીજી વખત 1995 માં ભાજપ-શિવસેનાએ મળીને ચૂંટણીમાં કિસ્મત અજમાવેલ. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનના શિલ્પકાર કહેનાર ભાજપના નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે વચ્ચે આ નક્કી થયું છે કે, ભાજપ કેન્દ્રની રાજનીતિ કરશે અને શિવસેના રાજ્યની સરકાર ચલાવશે.
વધુ બેઠક મેળવનાર બની શકે મુખ્યમંત્રી
આ સાથે જ એમ પણ નક્કી થયું કે મહારાષ્ટ્રમાં જેમની બેઠક વધારે હશે તેમના મુખ્યમંત્રી બનશે અને જેમને ઓછી બેઠકો પ્રાપ્ત થઇ છે તેમના નાયબ મુખ્યમંત્રી. શિવસેના 169 બેઠકો પર ચૂંટમી લડીને 73 બેઠક અને ભાજપ 116 પર લડીને 65 બેઠક જીતવામાં સફળ રહી છે.
એવામાં ગઠબંધનની શરત અનુસાર શિવસેનાને મુખ્યમંત્રી અને ભાજપને નાયબ મુખ્યમંત્રી પદ મળી શકે છે. સાથે જ તે સમયે ગૃહ, રાજસ્વ અને PWD જેવા મુખ્ય મંત્રાલયો પણ ભાજપને મળી શકે છે. આ રીતે ભાજપ અને શિવસેના મળીને 5 વર્ષ સરકાર ચલાવશે.
શિવસેના શું 1995 ની નીતિ પર કરશે કામ ?
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. શિવસેના ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે, જ્યારે ભાજપ 15 અપક્ષો સાથે રહેવાની તાકાત બતાવી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે, તે પહેલાં નવી સરકારની રચના થવાની છે.