આગ્રાનો તાજમહેલ, કાશીની જ્ઞાનવાપી અને મથુરાની ઈદગાહમાં શિવાલય હોવાની ચર્ચા બાદ હવે અજમેર સ્થિતિ વિશ્વ વિખ્યાત હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પણ હિન્દુવાદી સંગઠને દાવો ઠોક્યો છે.
મહારાણા પ્રતાપ સેનાએ લખ્યો પત્ર
દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો
પત્ર બાદ અજમેર તંત્ર અલર્ટ
મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં પણ શિવ મંદિર છે. હિન્દુવાદી સંગઠને રાજસ્થાનના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પત્ર લખીને તપાસની માંગ કરી છે. મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધનસિંહ પરમારે દાવો કર્યો છે કે અજમેરમાં ખ્વાજાની દરગાહ એક શિવ મંદિર હતું, પરંતુ બદલીને દરગાહ બનાવી દેવામાં આવી.
મહારાણા પ્રતાપ સેનાએ લખ્યો પત્ર
રાજવર્ધનસિંહ પરમારના અનુસાર પત્રમાં લખ્યું કે હજરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ અમારુ પ્રાચીન હિન્દુ મંદિર છે. દરગાહની દિવાલો અને બારીઓમાં સાથીયાના ચિહ્ન શું સાબિત કરે છે? સેનાની માંગ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણથી સર્વે કરાવવામાં આવે. સેનાએ પત્રને રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્ર સકારને પણ મોકલ્યો છે.
દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો
સેના પ્રમુખ પરમારે કહ્યું કે, જો એક અઠવાડિયામાં તપાસ શરૂ ન થઇ તો કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરશે. મંત્રીઓ સાથે મુલાકાતમાં કોઈ સમાધાન ન નિકળ્યું તો મોટું જન આંદોલન કરવામાં આવશે. મહારાણા પ્રતાપ સેનાના 2000થી વધુ કાર્યકર્તા અજમેર કૂચ કરશે અને આંદોલન ચલાવશે. જરૂર પડશે તો કોર્ટમાં પણ જઇ શકે છે.
પત્ર બાદ અજમેર તંત્ર અલર્ટ
આ દાવા બાદ અજમેર તંત્ર અલર્ટ થઇ ગયું છે. ગુરૂવારે તંત્રના અધિકારીઓએ દરગાહની મુલાકાત લીધી. જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું કે, અજમેર પોલીસ અલર્ટ મોડ પર છે. આખા શહેરમાં શાંતિ વ્યવસ્થા જળવાયેલી છે. સંગઠન તરફથી કરાયેલા દાવા બાદ સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. કોઈ અફવા પર ધ્યાન ન આપે.